healthIndia

કોણ ક્યારે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી શકે છે? સરકારે આ નિયમો બનાવ્યા

ભારતમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 100 ને વટાવી ગઈ છે અને આ વાયરસથી બે લોકોના મોત પણ થયા છે. વાયરસની ઉત્પત્તિ ચીનના વુહાનમાં થઈ હતી અને હવે તે વિશ્વભરમાં ફેલાઈ છે. ભારત સરકારે ચેપ અટકાવવા માટે ઘણા નિર્ણયો લીધા છે. દરમિયાન સરકારે કોરોના વાયરસનું પરીક્ષણ ક્યારે અને કોણ કરી શકે છે તે માટે નિયમો પણ નક્કી કર્યા છે. ચાલો જાણીએ નિયમો કેવા છે.

ભારત સરકારની ભારતીય તબીબી સંશોધન પરિષદે 9 માર્ચે કોરોના વાયરસ પરીક્ષણ વ્યૂહરચના જાહેર કરી છે. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ કઈ પરિસ્થિતિમાં કોરોના વાયરસ પરીક્ષણ કરાવી શકે છે.ભારતીય તબીબી સંશોધન પરિષદે અહેવાલ આપ્યો છે કે હાલમાં કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઇ રહ્યું . શરૂઆતમાં અસરગ્રસ્ત દેશોની મુલાકાત લેતા વ્યક્તિનું જોખમ રહેલું છે અથવા જે લોકો વિદેશથી પરત ફર્યા છે અને તેમને જો કોરોના પોઝિટિવ હોય તો તેમના દ્વારા અન્ય લોકોને ચેપ લાગી શકે છે. એટલે દરેક લોકોએ કોરોના નો ટેસ્ટ કરાવવો જરૂરી નથી.

સરકાર દ્વારા બનાવાયેલા નિયમો હેઠળ જો તમે કોરોના વાયરસથી પ્રભાવિત જોખમવાળા દેશમાંથી પાછા ફર્યા છો તો તમારે 14 દિવસ આઇસોલેશનમાં એટલે કે એકલા રહેવું પડશે. જો તમને લક્ષણો દેખાય છે તો પછી તમારો ટેસ્ટ કરવામાં આવશે.

બીજા કિસ્સામાં જો તમે કોઈની સાથે સંપર્કમાં આવ્યા છો કે જેમને કોરોના ની પુષ્ટિ થઇ છે તો તમારે 14 દિવસ માટે એકલા રહેવું પડશે. જો તમને 14 દિવસની અંદર લક્ષણો દેખાય છે તો ટેસ્ટ કરવામાં આવશે.એટલે કે જો તમને સામાન્ય તાવ ના લક્ષણો, શરદી-ઉધરસ છે પણ તમે ઉપરોક્ત કોઈપણ સ્થિતિમાં નથી તો પછી હોસ્પિટલમાં ગયા પછી પણ તમારે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાની જરૂર નથી અને ટેસ્ટ કરવામાં પણ નહીં આવે.

ભારત સરકારે કોરોના વાયરસના ટેસ્ટ માટે દેશમાં 52 કેન્દ્રો બનાવ્યા છે. વિવિધ રાજ્યોમાં સ્થિત આ કેન્દ્રો પર કોરોના ચેપની તપાસ કરી શકાય છે. આ સાથે જ જણાવી દઈએ કે ભારતમાં કોરોના નો ફેલાવો વધી રહ્યો છે જેથી સાવચેત રહેવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સમગ્ર ભારતમાં કોરોના ના કેસની સંખ્યા 108 પર પહોંચી ગઈ છે. તેમાંથી 11 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 2 લોકોનાં મોત નીપજ્યાં છે.