વૈષ્ણો દેવી માતાના મંદરીએ બનેલ ઘટનામાં એક દીકરાની સામે જ મૃત્યુ પામી માતા
જમ્મુ કાશ્મીરના કટરામાં આવેલ માતા વૈષ્ણો દેવી મંદિર એ ફક્ત ભારતમાં જ નહિ પણ આખી દુનિયામાં ફેમસ છે. માતાના દર્શન માટે અહીંયા દેશ વિદેશથી દર વર્ષે લાખો કરોડો લોકો આવે છે. અહીંયા હમણાં નવા વર્ષના અવસર પર ઘણાબધા લોકો માતાજીને પગે લાગવા માટે આવ્યા હતા. અહીંયા લાખો લોકોની ભીડ જમા થઇ હતી.
ભારતીયો પણ નવા વર્ષનું ખાસ રીતે સ્વાગત કરે છે. કેટલાક પરિવાર કે મિત્રો સાથે ફરવા નીકળે છે તો કેટલાક આ દરમિયાન મંદિરમાં જઈને ભગવાનના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરે છે. આ ઘટનામાં માતા વૈષ્ણો દેવીના દર્શન માટે લાખો લોકો પહોંચ્યા હતા, જો કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની મધ્યરાત્રિએ મંદિર પરિસરમાં એક દુ:ખદ અકસ્માત થયો હતો.
માતાના દર્શન માટે આવેલ લાખો લોકો ત્યાં હાજર હતા. ભક્તો માતાના દર્શન કરવા માટે ખુબ મુશ્કેલી સામે પડી જતા હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે એવામાં શુંકરવર અને શનિવાર રાત્રે મંદિરના પરિસરમાં નાસભાગ થઇ જાય છે. આ નાસભાગ બહુ ભયાનક હતી જેમાં 12 લોકોનું મૃત્યુ થઇ ગયું હતું અને 13 જેટલા લોકો ઘાયલ થયા હતા.
મળતી માહિતી મુજબ, આ દુઃખદ ઘટના વૈષ્ણો દેવી મંદિર પરિસરમાં બપોરે લગભગ 2.30 વાગ્યે બની હતી. ભારે ભીડ અને નાસભાગને કારણે એક ડઝન લોકોના મોત થયા હતા. તે જ સમયે, એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં લગભગ તમામ મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને હરિયાણાના ઝજ્જરની એક મહિલાએ પણ જીવ ગુમાવ્યો છે.
આ બનાવમાં હરિયાણાની એક મમતાનું પણ મૃત્યુ થઇ ગયું છે. મમતાની ઉમર 38 વર્ષ કહેવામાં આવી રહી છે. મમતાના એવીરીતે અચાનક ચાલી જવાથી તેના બાળકો અને તેઈ સાસુ એકલા પડી ગયા છે. મમતાના પતિ એ ત્રણ વર્ષ પહેલા જ કોઈ બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા. જાણકારી પ્રમાણે મમતા પોતાના 19 વર્ષના દીકરા સાથે માતાના દર્શન માટે આવી હતી. જો કે આ ઘટનામાં માતાનું મૃત્યુ થઇ જાય છે અને તેમનો દીકરો આદિત્ય બચી જાય છે.
મમતા હરિયાણાના ઝજ્જર જિલ્લાના બેરી વિસ્તારની રહેવાસી હતી. તેમના પરિવારમાં એક પુત્ર આદિત્ય અને 13 વર્ષની પુત્રી અને સાસુ છે. તેના પતિનું અવસાન થઈ ચૂક્યું હતું અને હવે તેનો પરિવાર શોક અને વેરાન થઈ ગયો છે. પતિના અવસાન બાદ મમતા ઘર સંભાળતી હતી અને તે ઘર ચલાવતી હતી.મમતાના પડોશીઓએ જણાવ્યું કે માતા-પુત્ર બંને બપોરે 2.30 વાગ્યા પછી દર્શન કરીને પાછા આવી રહ્યા હતા. ત્યારબાદ નાસભાગ મચી ગઈ અને આદિત્ય તેની માતાથી અલગ થઈ ગયો. દરમિયાન નાસભાગમાં મમતા ફસાઈ ગઈ અને તેનું મોત થઈ ગયું.