SaurashtraGujaratJunagadh

દ્વારકામાં મકાનમાં ભયંકર આગ લાગતા એક જ પરિવારના ચાર લોકોના મોત

દ્વારકાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. દ્વારકામાં આદિત્ય રોડ પર મકાનમાં આગ લાગતા એક પરિવાર આગની ઝપેટમાં આવી જતા કરુણ ઘટના સર્જાઈ  છે. જેમાં 4 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા હોવાની જાણકારી સામે આવી છે. આ ઘટનામાં એક બાળકી, બે મહિલા, એક પુરુષનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મકાનમાં આગ લાગવાના લીધે 4 લોકોના કરુણ જીવ ગયા હતા. જેમાં 1 બાળકી, 2 મહિલા, 1 પુરુષનું મૃત્યુ નીપજ્યા છે. ઘટનાની જાણકારી મળતા ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. તેમ છતાં આગ ક્યા કારણોસર લાગી તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. હાલમાં મૃતદેહોને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. દિત્ય રોડ પર આવેલા ગૂગળી બ્રાહ્મણ સમાજના ચાર લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર ગૂગળી સમાજમાં ભારે શોકનું મોંજુ ફરી વળ્યું છે. પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ, દ્વારકામાં સર્જાયેલી આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો આગની જપેટમાં આવતા તેમનું ભડથું થઈ ગયું હતું. આ ઘટનામાં પાવન કમલેશ ઉપાધ્યાય, તિથિ પવાન ઉપાધ્યાય, ધ્યાના અને  ભામિનીબેન કમલેશભાઈ ઉપાધ્યાયનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે આ આગ ક્યા કારણોસર લાગી તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.