હવામાન ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે આ વખતે હવામાન વિભાગે ચોમાસા અંગે બુધવારે સારા સમાચાર આપતી આગાહી કરી છે, હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આ વખતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ થોડું વહેલું આવી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું એ અનુસાર તમને જણાવી દઈએ કે બંગાળના અખાતમાં દક્ષિણ-પૂર્વ ક્ષેત્ર અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્રમાં બુધવારે સવારે લો પ્રેશરના બે ઝોન બન્યા છે.અહી ઉલ્લેખનીય છે કે ચોમાસુ 15 મેએ બંગાળના દક્ષિણી અખાતના મધ્ય ભાગોમાંથી આગળ વધીને શ્રીલંકા પહોંચશે.
હવામાન વિભાગે આગાહી કરી એ અનુસાર 16 મેની સાંજ સુધીમાં દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય અખાત પર ચક્રવાતી તોફાનો સર્જાઇ શકે છે, જેને અમ્ફાન નામ અપાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ એવા મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે ચક્રવાત ચોમાસુ આગળ વધવામાં મદદ કરશે. આ વર્ષે ચોમાસુ સામાન્ય પ્રકારનું રહેવાની શક્યતા છે.તેમના જણાવ્યા અનુસાર આંદામાન-નિકોબાર ટાપુઓ પર 15 અને 16 મેએ હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે, આ ભારે-હળવા વરસાદ દરમિયાન 45થી 55 કિ.મી. પ્રતિ કલાક અને 17 મી મે એ 85 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર વાત કરીએ તો ગુરુ અને શુક્રવારે કેરળ, તમિલનાડુ, પુડ્ડુચેરી, દક્ષિણ કર્ણાટક, લક્ષદ્વીપમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉ.ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉ.રાજસ્થાન તથા પશ્ચિમ ઉ.પ્ર.ના ઘણા ખરા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી એ અનુસાર ગુજરાતમાં ચોમાસુ 3થી 7 દિવસ જેટલું મોડું આવવાની શક્યતાઓ છે.અહી ઉલ્લેખનીય છે કે ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર, મ.પ્ર., છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉ.પ્ર.ના કેટલાક ભાગોમાં ચોમાસાના આગમનમાં 3થી 7 દિવસનો વિલંબ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
હવામાન વિભાગે આગાહી કરી એ અનુસાર કેરળમાં 1 જૂનથી ચોમાસુ બેસશે.હવામાન વિભાગે કહ્યું હતું કે આ વર્ષે કેરળમાં ચોમાસુ 1 જૂનથી બેસશે જ્યારે દિલ્હીમાં 23 થી 27 જૂન, મુંબઇ અને કોલકાતામાં 10-11 જૂનથી વરસાદ વરસી શકે છે.