રાજયમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, આજે નોંધાયા 1000થી પણ ઓછા કેસ
ગુજરાતમાં હાલમાં હવે કોરોના કહેર સતત ઓછો થઇ રહ્યો છે. જે હવે ગુજરાતમાં સતત છેલ્લા થોડા દિવસોથી 1500ની અંદર કેસ આવી રહ્યા છે, તેનાથી એક વાતતો સ્પષ્ટ થાય છે કે હવે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની વિદાઈ થઈ ગઈ છે. કેમકે આ અગાઉ સતત 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા.
એવામાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 998 કોરોના કેસ સામે આવ્યા છે. ત્યારે તેની સાથે હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2454 કોરોના દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 16 દર્દીનાં મોત નિપજ્યા છે.
આ સિવાય રાજ્યના શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 366, વડોદરા કોર્પોરેશનમાં 162, વડોદરામાં 49, સુરત કોર્પોરેશનમાં 38, ગાાંધીનગર કોર્પોરેશનમાં 36, સુરતમાં 35, રાજકોટમાં 26, ભરૂચમાં 22, બનાસકાંઠામાં 20, રાજકોટમાં કોર્પોરેશનમાં 20, ખેડામાં 19, તાપીમાં 17, મોરબીમાં 16, ગાાંધીનગરમાં, પાટણમાં 15, મહેસાણામાં 14, સાબરકાાંઠામાં 11, અમદાવાદમાં 10, ભાવનગર કોર્પોરેશનમાં 10, મહીસાગરમાં 10, આણંદ માં 09, વલસાડમાં 09, નવસારીમાં 8, જામનગર કોર્પોરેશનમાં 7, કચ્છમાં 7, પંચમહાલમાં 7, દાહોદમાં 6, જામનગરમાં 6, અરવલ્લીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 5, છોટા ઉદેપુરમાં 4, ડાંગમાં 4, નર્મદામાં 3, ભાવનગરમાં 2, જુનાગઢમાં 2, જુનાગઢ કોર્પોરેશનમાં 2, અમરેલીઆ 1 કેસ સામે આવ્યો છે.
તેની સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 2, વડોદરા શહેરમાં 4, વલસાડમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 1, મોરબીમાં 1, પંચમહાલમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 એક દર્દીનું મોત નીપજ્યું છે.