ધાર્મિક માન્યતાઓ મુજબ જો મહાબલી હનુમાનજીની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ ઉપર હોય છે તો તેમના જીવનમાં હંમેશા ખુશીઓ રહે છે અને તેમના જીવનની બધી સમસ્યાઓ દૂર થઇ જાય છે. મહાબલી હનુમાનજીની સાધના કરવી બહુ સરળ છે પણ તેમની પૂજા કરવા માટેના અમુક ખાસ નિયમ હોય છે જેનું પાલન કરવું ખુબ જરૂરી છે.જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો હનુમાનજીની સાધનાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. આજે આ લેખ દ્વારા અમે તમને હનુમાનજીની સાધના દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ.
જો તમે હનુમાનજીની પૂજા કરી રહ્યા છો તો તમારે સવારમાં વહેલા ઉઠવું જોઈએ પછી તમારે પૂજા કરવાની રહેશે જો આવું શક્ય નથી તો તમારે સાંજના સમયે પૂજા કરવી જોઈએ.હનુમાનજીની પૂજામાં લાલ રંગના ફૂલનો ઉપયોગ કરો.
હનુમાનજીની પૂજા દરમિયાન તેમની સામે દીવો કરો તો તેમાં લાલ રંગની દિવેટનો ઉપયોગ જ કરો.જો તમે હનુમાનજીની પૂજા કરી રહ્યા છો તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. પૂજાના કોઈપણ સામાનને અડો છો તો પહેલા હાથ ધોઈ લેવા પછી જ કોઈપણ વસ્તુને અડી શકશો. પૂજા સ્થળ અને પોતાની ખુબ જ સફાઈ રાખો.
હનુમાનજીની પૂજામાં શુદ્ધતા અને સાત્વિકતાનું પણ ખાસ ધ્યાન રાખો. તમારે જે પણ વસ્તુ પૂજામાં લેવી હોય તેનું પણ ખાસ ધ્યાન રાખો તે શુદ્ધ હોવી જોઈએ. હનુમાનજીના પૂજા કરવાના દિવસોમાં તમારે બ્રમ્હચર્યનું પાલન કરવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે હનુમાનજીને ક્યારેય પણ મહિલાએ તેમને ચોલા અર્પણ કરવું જોઈએ નહિ. આ કામ તમે કોઈપણ પુરુષ કે પછી પૂજારી પાસે કરાવી શકો.
મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે માંસ, દારૂ કે પછી કોઈપણ તામસી વસ્તુનું સેવન કરવું જોઈએ નહિ.હનુમાનજીની પૂજા કરતી વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તેમને ચરણામૃતથી સ્નાન ન કરાવો, કારણ કે તેમની પૂજામાં ચરણામૃત ચઢાવવાનો કોઈ કાયદો નથી.