જો તમે અહી દેશી ચણાનું શાક-ઓળો અને બાજરીનો રોટલો ન ખાધો તો ધક્કો વસૂલ ન કહેવાય, ફક્ત ૪ કલાકનો ધંધો કરે છે,
નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.
આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગર શહેરની, કહેવાય છે કે જો તમે સુરેન્દ્રનગર જાઓ અને લીલા ચણાનું શાક ન ખાઓ તો ધક્કો વસૂલ ન કહેવાય.આજે આપણે સુરેન્દ્રનગર શહેરમાં ચેતના દેસી લોજ વિશે વાત કરીશું.જો આપણે એડ્રેસની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ૮૦ફૂટ રોડ,ઉધ્યોગનગર ગેટની બાજુમાં ચેતના દેસી લોજ નામની રેસ્ટોરન્ટ જોવા મળશે.
અને છતાં પણ સરનામું ન મળે તો ૯૪૨૬૯૯૯૩૪૫ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.અહીના માલીકનું નામ ભરતભાઇ છે.તેઓ સાંજના ૪ કલાક જ ધંધો કરે છે,રાત્રે ૭.૦૦ થી ૧૦.૩૦ કલાક સુધી જમવા માટે લોકોની લાઈનો લાગે છે.તેમને ત્યાં બાજરાના રોટલા ચૂલા પર જ બનાવવામાં આવે છે.અહી ૧૭૦ રૂપિયામાં અનલિમિટેડ જમી શકો છો.
જેમાં બાજરીના રોટલા,ચાર શાક,પાપડ,છાશ,ગોળ,માખણ,સલાડ, તમામ વાનગી ભરપેટ ખાઈ શકો છો.અહી જમવા માટે લોકોની લાઈનો લાગે છે.જો તમે સુરેન્દ્રનગર બાજુ જાઓ અથવા સુરેન્દ્રનગરમાં રહેતા હોય તો ચેતના દેસી લોજમાં લીલા ચણાનું શાક,ઓળો અને બાજરીનો રોટલો ખાવા ચોક્કસ જાઓ,ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું મળે છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.