BjpCongressIndiaPolitics

જ્યોતિરાદિત્યનું રાજીનામુ, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પડી જશે: જ્યોતિરાદિત્યને મોદી સરકારમાં મળશે મંત્રી પદ

મધ્યપ્રદેશના રાજવી પરિવારમાંથી આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટી એટલે કે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો આપ્યો છે. મુખ્યમંત્રી કમલનાથથી નારાજ સિંધિયાએ મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ખુદ સિંધિયાએ ટ્વીટ કરીને તેમના રાજીનામાની જાણકારી આપી છે. સિંધિયાના રાજીનામા બાદ તેમના છાવણીના કોંગ્રેસના 14 ધારાસભ્યોએ પણ રાજીનામું આપી દીધું છે.

રાજીનામું આપતા પહેલા સિંધિયા ગૃહ પ્રધાન અમિત શાહને મળવા માટે વહેલી સવારે દિલ્હી સ્થિત નિવાસસ્થાનથી નીકળ્યા હતા અને તે પછી તેઓ શાહની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સિંધિયાની બેઠક સવારે 10.45 વાગ્યે વડા પ્રધાનના નિવાસસ્થાનેથી શરૂ થઈ હતી.

પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક થઈ. પીએમ મોદીને મળ્યા બાદ સિંધિયા અમિત શાહની ગાડીમાં બેસીને બહાર આવ્યા હતા. અગાઉ સિંધિયા પોતાના નિવાસસ્થાનથી કાર જાતે ચલાવીને અમિત શાહના ઘરે ગયો હતો, જ્યાંથી તે અમિત શાહના કાફલામાં લોક કલ્યાણ માર્ગ પર આવેલા વડા પ્રધાનના ઘરે પહોંચ્યો હતો. પીએમ મોદીને મળ્યા બાદ જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના સભ્યપદથી રાજીનામું આપ્યું હતું.

જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપ માટે સન્માન પણ મળશે, જેના માટે તેઓ કોંગ્રેસમાં જહેમત ઉઠાવી રહ્યા હતા. સૂત્રો કહે છે કે ભાજપ સિંધિયાને રાજ્યસભામાં મોકલી શકે છે. આ સિવાય તેમને મોદી સરકારમાં પ્રધાન પણ બનાવવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદ સત્ર બાદ મોદી કેબિનેટનો વિસ્તાર કરવામાં આવશે અને સિંધિયાને આ વિસ્તરણમાં સામેલ કરવામાં આવશે. સિંધિયાને આ ઇનામ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારને પછાડવા માટે આપવામાં આવશે.