Astrology

ભિખારીને પણ રાજા બનાવી દેશે ગોળના આ લાલ કિતાબી ટોટકા

લાલ કિતાબ પ્રમાણે ગોળના આ ટોટકા જીવનમાં ખુશીઓ લાવે છે. આ ટોટકાથી જીવનના બધા દુખ પૂરા થઈ જાય છે. આ ટોટકા તમારી પૈસા સંબંધિત સમસ્યાને પણ દૂર કરી દેશે. નોકરી કે પછી લગ્ન કરવામાં કોઈ મુશ્કેલી આવી રહી છે તો તેમ પણ ગોળના આ ટોટકા કરી શકો છો.

નાણાકીય અવરોધો દૂર કરવા : જો તમે પૈસાની તંગીમાંથી પસાર થઈ રહ્યા હોવ તો આ ઉપાયો કરો. ગોળનો ટુકડો અને એક સિક્કો લાલ કપડામાં બાંધીને દેવી લક્ષ્મીની સામે રાખો. હવે આ બંડલને ધૂપ-દીપ બતાવીને તિજોરીમાં કે પૈસા રાખવાની જગ્યાએ રાખો. આ ઉપાયથી પૈસાની દરેક પ્રકારની સમસ્યા દૂર થઈ જશે.

દેવામાંથી મુક્તિ મેળવવા : જો તમે દેવાના દબાણ નીચે દબાયેલા છો અને દેવાથી મુક્તિ મેળવવા માંગો છો તો ગોળની મીઠાઇ બનાવો. હવવે મંગળવારના દિવસે હનુમાનજી સામે પ્રસાદ ધરાવો. આ સાથે ગોળ એ કનૈયાને પણ ધરાવી શકો છો. આ ઉપાયથી મંગળ ગ્રહનો અશુભ પ્રભાવ દૂર થઈ જાય છે. જીવનમાં સ્થિરતા આવે છે. દેવામાંથી મુક્તિ મળે છે. આ ઉપાય આર્થિક સમસ્યાનું સમાધાન થાય છે.

કૌટુંબિક વિવાદોનું સમાધાન કરવું : જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા અને વાદ-વિવાદ થાય છે તો આ ઉપાય કરો. મંગળવાર કે શનિવારે દોઢ કિલો ગોળને જમીનમાં દાટી દો. ખાતરી કરો કે આ કરતી વખતે કોઈ તમારી તરફ જોતું નથી. આ યુક્તિથી ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહેશે. તમામ ઝઘડાઓનો અંત આવશે.

લગ્ન માટે : લગ્ન થઈ નથી રહ્યા અથવા તો મનપસંદ જીવનસાથી સાથે લગ્ન કરવા છે તો ગુરુવારના દિવસે ગાયને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. આની માટે લોટમાં ગોળ મિક્સ કરીને લોટ બાંધી લો. હવે તેની ઉપર હળદર ઉમેરીને ગાયને ખવડાવી દો. આમ કરવાથી લગ્નમાં આવતી બાધા દૂર થઈ જશે.

નોકરી માટે : જો તમને નોકરી ન મળી રહી હોય, નોકરીમાં પ્રમોશન અટવાયું હોય અથવા સારા પગારવાળી નોકરી ઇચ્છતા હોવ તો આ ઉપાયો અજમાવો. જ્યારે પણ તમે નોકરીના ઈન્ટરવ્યુ માટે જાવ ત્યારે ગોળ અને રોટલી મિક્સ કરીને ગાયને ખવડાવો. તેનાથી નોકરી સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.