Gujarat

મનોવિજ્ઞાનીઓ નો CM ને પત્ર : વ્યસનીઓ માટે થોડી છૂટછાટ આપો નહી તો એ સ્થિતિ બગાડશે,જાણો વધુ..

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.આ મહામારી સામે લડવા તંત્ર પણ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહ્યું છે.આ મહામારીને પગલે જ છેલ્લા કેટલાય સમયથી રાજ્ય સહિત સમગ્ર દેશ પર લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.જેમાં જીવન જરૂરિયાત સિવાયની તમામ દુકાનો,શોપિંગ મોલ્સ અને દરેક વસ્તુ પર પ્રતિબંધ લાદી મૂકી દેવામાં આવ્યો છે.જેમાં લોકોને તકલીફ પડી રહી છે પરંતુ વધારે તકલીફ તો એ લોકોને પડી રહી છે કે જેમને બીડી-તમાકુ-પાન મસાલાની આદત પડી ગઈ છે.આ વ્યસની લોકોને હાલ ખુબ જ તકલીફ પડી રહી છે ક્યાય કઈ પણ મળતું નથી અને જો ક્યાંક મળે છે તો પુષ્કળ કાળા-બજારી થઇ રહી છે.જેને લઈને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતના મનોવિજ્ઞાનના 7 અધ્યાપકોએ મુખ્યમંત્રીને આ અંગે જ એક પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં લખ્યું છે કે, 45 હજારથી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરીને એવું તારણ કાઢ્યું છે કે ગુજરાતના લોકોની ધીરજ હવે ખુટી છે. લોકડાઉન સિવાય કોઇ વૈકલ્પિક યોજના બનાવવા અંગે આ પત્રમાં માંગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે વ્યસન એ મનોશારીરિક બીમારી છે. તેની સ્વાસ્થ્ય પર પણ સીધી જ અસર પડે છે. વ્યસનની વસ્તુ ન મળવાથી માનસિક અને શારીરિક અસરો ખૂબ જ ભયાનક પણ આવી શકે છે. સરકાર પર લોકોને જ્યાં સુધી ભરોસો છે ત્યાં સુધીમાં છૂટછાટ આપવી જરૂરી છે. અતિ બંધન એ માણસની માનસિક સ્થિતિને બગાડી શકે છે.

તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ એવા ડો.યોગેશ જોગાસણએ આ બાબતે જણાવ્યું હતું કે, અમદાવાદના મનોચિકિત્સક ગોપાલ ભાટીયા, હું યોગેશ જોગાસણ, વિદ્યાનગરના મનોવિજ્ઞાનના અધ્યક્ષ સુરેશ મકવાણા, રાજેશ પરમાર, કરસન ચોથાણી, ડો.સુતરીયા અને ડો. મેહુલ અમે બધા મનોવૈજ્ઞાનિકોએ ભેગા થઇને આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખ્યો છે. તેમાં મનોવિજ્ઞાની સુખાકારી અંગેના કેટલાક સુચનો મોકલ્યા પણ છે. તેમના જણાવ્યા અનુસાર 45 હજાર લોકોનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેમને જાણવા મળ્યું છે કે, લોકડાઉનથી લોકો હવે ખુબ જ કંટાળ્યા છે. વ્યસની લોકોની મનોસ્થિતિ હવે દિવસેને દિવસે ખૂબ જ ખરાબ થતી જાય છે. અહી ઉલ્લેખનીય છે કે મોરબીમાં દુખદ ઘટના બની તેવી ઘટના ન બને તે માટે પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. અતિ બંધન છે તેને હળવા બંધન કરવાના આવે તેવા સુચનો પણ મોકલ્યા છે.