GujaratNavsariSouth Gujarat

જાણો Navsari જિલ્લાના ગણદેવી તાલુકાના આ ખેડૂત (Farmer) એવું શું કરી રહ્યા છે કે, મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે.

Gandevi તાલુકાના ખખવાડા ગામના બીપીનભાઈ નાયક પ્રાકૃતિક ખેતી કરીને વર્ષે રૂપિયા 4 લાખ જેટલી આવક પ્રાપ્ત કરે છે. ગુજરાતના ખેડૂતો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પણ કરતા થયા છે. Navsari જિલ્લાના ગણદેવી તાલુકાના ખખવાડા ગામના વિપિનભાઈ ખંડુભાઈ નાયક છેલ્લા સાત વર્ષથી 12 વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં તેઓ મુખ્ય પાક આંબા અને ચીકુ છે.

આંબા સાથે હળદર, કંદ, સુરણ, રતાળુની પણ ખેતી કરે છે. આ અગાઉ વિપિનભાઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા, પરંતુ તેમાં ખર્ચ વધુ અને આવક ઓછી મળવાની સાથે જમીનનો પણ બગાડ થતો હતો, માટે તેઓએ આત્મા પ્રોજેક્ટ ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો. પ્રાકૃતિક ખેતી કરવા માટે ગાય રાખવાનો નિર્ણય પણ અમલમાં મૂક્યો. તેઓએ નવ જેટલી ગીરગાય પણ રાખી છે.

પ્રાકૃતિક ખેતી કરવા માટે એક ગીર ગાયના નિભાવ માટે સરકાર દ્વારા વાર્ષિક 10 હજારથી વધુની સહાય મળે છે. જેના ગોબર ઉપરાંત ગૌમુત્રમાંથી જીવામૃત બનાવીને ખેતરમાં ઉપયોગમાં લઈ શકાય છે. વિપીનભાઈ આંબા અને ચીકુની માવજત માટે ગોળ અને દૂધના મિશ્રણનો છંટકાવ કરે છે, ઉપરાંત આંકડો, લીમડો, કરંજ, સીતાફળના પાંદડા નો રસ 200 લીટર પાણીમાં ગોળ નાખીને મિશ્રણ કરીને આંબા અને ચીકુ પર છંટકાવ કરતા તેમાં જીવાત પડતી નથી. આવું કરવાથી ફળોનો વિકાસ પણ સારો થાય છે.

વિપીનભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી દ્વારા થતા ફળોની મીઠાશ પણ વધુ સારી હોય છે. વિપીનભાઈ નાયક એ વડાપ્રધાન ચીખલી તાલુકામાં આવ્યા હતા, તે દિવસે તેમની મુલાકાતમાં પ્રાકૃતિક ખેતીની વાત કરી હતી. ત્યારે વડાપ્રધાને પણ વિપિનભાઈ ને ખાસ પ્રોત્સાહિત કર્યા હતા અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવા જણાવ્યું હતું.

વિપીનભાઈ આજુબાજુના ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની સમજણ આપી, રાજ્ય સરકારના બાગાયત વિભાગ આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ દ્વારા મળતી વિવિધ સહાયનો લાભ લેવા માટે જણાવ્યું હતું. આજે વિપીનભાઈ નાયક પ્રાકૃતિક ખેતી કરી વર્ષે ચારેક લાખ જેટલી કમાણી કરે છે.