Ajab GajabIndia

પત્ની પીડિત પુરુષ આશ્રમ : ત્રણ કેટેગરીના પુરુષ અહીંયા જોવા મળે છે, જાણો ક્યાં છે આ

એક સમય હતો જયારે પતિ પોતાની પત્નીને હેરાન કરતા હતા જેનાથી પરેશાન થઈને મહિલાઓ ઘર છોડીને ચાલી જતી હતી. પણ હવે સમય બદલાઈ ગયો છે. હવે મહિલાઓ કોઈપણ બાબતે પુરુષથી અલગ કે ઓછી નથી. ભણતર હોય, નોકરી હોય કે પછી કોઈપણ બાબત હોય કે પછી પતિને હેરાન કરવાની વાત કેમ ના હોય. હા તમે સાચું વાંચ્યું છે. પતિને હેરાન કરવાનું કામ આજે ઘણી મહિલાઓ કરી રહી છે. પતિને મારવું, ઘરથી બહાર કાઢી મુકવા જેવા અનેક ગુનાહ દરરોજ સાંભળવા મળતા હોય છે. આવા બેસહારા પતિ માટે હવે એક આશ્રમ બનાવવામાં આવ્યું છે અહીંયા જઈને તે આરામ અને શાંતિથી રહી શકે છે.

આ આશ્રમ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાથી 12 કિલોમીટરના અંતરે શિરડી મુંબઈ હાઈવે પર સ્થિત છે. જ્યાં પત્નીઓ દ્વારા હેરાન-પરેશાન થતા અનેક પતિઓ અહીં આવીને રહે છે. આ ઉપરાંત આ આશ્રમ પત્ની સાથે કાયદાકીય લડાઈ લડતા પતિઓને પણ મદદ કરે છે. આ આશ્રમમાં છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, આંધ્ર અને દેશના અન્ય ભાગોમાંથી પણ લોકો કાયદાકીય સલાહ લેવા આવે છે. આશ્રમમાં દિનપ્રતિદિન પરેશાન પતિઓની સંખ્યા વધી રહી છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 500 લોકોએ અહીં સલાહ લીધી છે.

દૂરથી તે એક નાનકડો ઓરડો જેવો દેખાય છે પણ અંદર જઈએ તો મોટા આશ્રમ જેવું લાગે છે. અંદર એક ઓફિસ છે જ્યાં પત્નીથી પીડિત પતિઓને સલાહ અને સલાહ આપવામાં આવે છે. આ સાથે પીડિત પતિઓની લડાઈમાં કાયદાકીય યુક્તિઓ શીખવવામાં આવે છે. આ સિવાય આ ઓફિસમાં થર્મોકોલથી બનેલો મોટો કાગડો સૌનું ધ્યાન ખેંચે છે અને આ આશ્રમમાં જ સવાર-સાંજ અગરબત્તી લગાવીને આ કાગડાની પૂજા કરવામાં આવે છે.

દર શનિવાર અને રવિવારની સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી પત્ની પીડિતની કાઉન્સેલિંગ કરવામાં આવે છે. એટલું જ નહિ આશ્રમમાં રહેવા આવનાર લોકો ખીચડી શાક અને દાળ બનાવે છે. જે પણ પુરુષ આશ્રમમાં સલાહ લેવા માટે આવે છે તેમને ખીચડી ખવડાવવામાં આવે છે. આશ્રમમાં A B C ત્રણ કેટેગરી બનાવવામાં આવી જે પુરુષ પત્ની અને સાસરીવાળાથી હેરાન હોય છે એ A કેટેગરીમાં આવે છે. આ રીતે ઓછી હેરાનગતિ વાળા પુરુષ B અને C કેટેગરીમાં મુકવામાં આવે છે. આશ્રમમાં રહેવાવાળા પુરુષ અહીંયા પૈસા ખર્ચ કરીને આશ્રમના ખર્ચ ઉઠાવે છે અને જમવાનું પણ જાતે જ બનાવે છે.