GujaratRajkotSaurashtra

રાજકોટ પોલીસ કમિશનર કટકીકાંડ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ……

રાજકોટ શહેના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર થયેલા 75 લાખ રુપિયાના કટકીકાંડના મામલામાં ફરી એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. કટકીકાંડનો ભોગ બનેલા જગજીવન સખિયાએ પહેલીવાર પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે, અઢી મહિના પહેલા તેમણે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને અરજી આપીને જાણ હતી. જેમાં તમામ બાબતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, હર્ષ સંઘવીને અઢી મહિના અગાઉ આ સમગ્ર બાબતની જાણ હતી.

તેમણે આ મામલે એક્શન લેવાનું પણ કહ્યું હતી, જો કે તેવું કઈ થયું નહોતું. આ સિવાય હર્ષ સંઘવીને રજૂઆત કર્યા પછી પણ કોઈ કાર્યવાહી કરવાની વાત તો દૂર રહી, ઉલ્ટાનું અહીં તોડબાજી ચાલી જ રહી હતી. ઉલ્લેખનીય છે કે, ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે આ મામલે પત્ર લખીને સમગ્ર બાબતને મીડિયા સમક્ષ લાવ્યા હતા. અને ત્યારબાદ ધમધમાટ તપાસ શરુ થઇ હતી.

જગજીવન સખિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગોવિંદ પટેલ તમામ બાબતોથી માહિતગાર હતા. જ્યારે ગૃહ વિભાગ અને સી.આર. પાટીલને આ મામલે રજૂઆત કરવામાં આવી ત્યારે પણ મંત્રી અરવિંદ રૈયાણી,રામ મોકરિયા તેમજ ધારાસભ્ય ગોવિંદ પટેલ તેમની સાથે જ હતા. સખિયાએ એમ પણ કહ્યું કે જો આ મામલે હજુય કોઈ નક્કર કાર્યવાહી ના થઈ તો તેઓ એન્ટિ કરપ્શન બ્યૂરો, સીઆઈડી ક્રાઈમ અને સીબીઆઈથી લઈને વડાપ્રધાન સુધી તમામને ફરિયાદ કરવા માટે તૈયાર છે, અને ન્યાય ના મળ્યો તો તેઓ ગમે ત્યાં જવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કેઝ વિકાસ સહાયે કુલ ચાર લોકોના નિવેદન લીધા છે. અને તેમને ટેકનિકલ પુરાવા પણ વિકાસ સહાય સમક્ષ રજૂ કર્યા છે, પરંતુ હાલ આ મામલે તપાસ ચાલુ હોવાથી કોઈ વધુ વિગતો જાહેર કરી શકે તેમ નથી.

નોંધનીય છે કે, ડીજીપી કક્ષાના અધિકારી વિકાસ સહાય હાલ રાજકોટ પોલીસ કમિશનર વિરુદ્ધ કરાયેલ આક્ષેપોની તપાસ કરી રહ્યા છે. તેમણે આ મામલે સખિયા ભાઈઓને ગાંધીનગર ખાતે બોલાવીને તેમના નિવેદન પણ લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે વહેલા ચાર વાગ્યા સુધી તેમના નિવેદન લેવાની કામગીરી ચાલી હતી. ત્યારબાદ સખિયા બંધુઓએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

જગજીવન સખિયાએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં અરજી આપનારાને લૂંટવામાં આવે છે તે વાત રાજકોટનો દરેક વ્યક્તિ જાણે છે. પોલીસ ક્રાઈમ રેટ નીચો રાખવા માટે ગુનાઓ નોંધતી નથી. જગજીવન સખિયાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, આક્ષેપોનો સામનો કરી રહેલા તમામ પોલીસ અધિકારીઓને જ્યાં સુધી તપાસ પૂરી ના થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવા જોઈએ.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે 2 ફેબ્રુઆરીના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો હતો. જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર પર આક્ષેપ કરાયા હતા કે તેઓ કોઈની ફસાયેલા પૈસાની ઉઘરાણીની વસૂલીના હવાલા સંભાળે છે. ગોવિંદ પટેલે આ પત્રમાં મહેશ સખિયાનો ઉલ્લેખ કરતાં જણાવાયું હતું કે, તેમની સાથે 15 કરોડ રૂપિયાનું ચિટિંગ થયું હતું.

આ મુદ્દે FIRના કરીને જે કંઈ પણ રિકવરી થાય તેમાંથી 15 ટકા કમિશનની માંગ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સાત મરોડ જેટલી વસુલાત ક્રાઈમ બ્રાંચે કરી હતી જેમાંથી પોલીસ કમિશનર માટે રૂપિયા 75 લાખ તેમના પીઆઈએ વસૂલ્યા હતા. બાકીની 8 કરોડ રૂપિયાની ઉઘરાણી ના થતા આખરે આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેમાંથી હજુ સુધી એક પણ રુપિયાની રિકવરી થઈ શકી નથી.

તમને જણાવી દઈએ કે ગોવિંદ પટેલે આ લેટર બોંબ ફોડતા જ ભાજપના સાંસદ રામ મોકરિયાએ પણ ગિવિંદ પટેલે પત્રમાં કરેલા આક્ષેપોને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ મંત્રી રૈયાણીએ પણ પોતે આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળીને રજૂઆત કરશે તેવી વાત કરી હતી. બીજી તરફ, પોતાના પર થયેલા આક્ષેપો પછી રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ત્રણ દિવસ સુધી ગુમ થઈ ગયા હતા. આખરે 8 ફેબ્રુઆરીના રોજ તેઓ પોતાની ઓફિસે આવ્યા હતા, અને ત્યાં પત્રકારો સામે નિવેદન આપ્યા બાદ તરત જ નીકળી ગયા હતા.

અગ્રવાલે તેમના પર થયેલા આક્ષેપોની તપાસ ચાલુ હોવાના કારણે આ અંગે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, મનોજ અગ્રવાલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે કે નેતાઓની આંતરિક બબાલમાં તેમનો ભોગ લેવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મનોજ અગ્રવાલને પૂર્વ સીએમ વિજય રુપાણીના ખાસ ગણવામાં થાય છે. રાજકોટમાં તેમની નિમણૂક વિજય રુપાણીના કાર્યકાળમાં જ થઈ હતી. તે વખતે પણ આક્ષેપો થતાં હતાં કે રુપાણીના વિરોધી જૂથના મનાતા નેતાઓના કામ નથી થતા. હવે જ્યારે રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલીઓની તૈયારી ચાલી રહી છે તેવા સમયે જ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે