AAPBjpGujaratPolitics

આમ આદમી પાર્ટીએ શૌચાલય કૌભાંડને કર્યું ઉજાગર

આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, શૌચાલયના નામે ભાજપ સરકારે કૌભાંડ આચર્યું છે. રાજ્યમાં ભાજપ સરકારે 567કરોડ રૂપિયાનું શૌચાલય કૌભાંડ આચર્યું છે. તેમજ તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ગાંધીનગરમાં બેસતા કદ્દાવર નેતાઓ જ કૌભાંડ આચરી રહ્યા છે.

દરેક જિલ્લામાં રહેલા ભાજપના સ્થાનિક નેતાઓ તેમજ ગાંધીનગરમાં બેસતા કદાવર નેતાઓની સાંઠગાંઠથી કૌભાંડ કરવામાં આવી રહ્યા છે. અગાઉ જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પણ કૌભાંડ થતું હતું અને હવે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા પછી પણ કૌભાંડ થઇ રહ્યા છે.આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, શૌચાલયના નામે ભાજપ સરકારે કૌભાંડ આચર્યું છે.

રાજ્યમાં ભાજપ સરકારે 567કરોડ રૂપિયાનું શૌચાલય કૌભાંડ આચર્યું છે. તેમજ તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ગાંધીનગરમાં બેસતા કદ્દાવર નેતાઓ જ કૌભાંડ આચરી રહ્યા છે. દરેક જિલ્લામાં રહેલા ભાજપના સ્થાનિક નેતાઓ તેમજ ગાંધીનગરમાં બેસતા કદાવર નેતાઓની સાંઠગાંઠથી કૌભાંડ કરવામાં આવી રહ્યા છે. અગાઉ જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પણ કૌભાંડ થતું હતું અને હવે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા પછી પણ કૌભાંડ થઇ રહ્યા છે.

નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી કિસાન સંગઠને આજ રોજ શૌચાલયમાં થયેલા ભ્રષ્ટાચારને ઉઘાડું પાડ્યું છે. જેમાં ગાંધીનગરમાં બેસતા કદાવર નેતાઓ તેમજ અધિકારીઓની મિલીભગથી 567 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા છે. કૌભાંડ આચરવા માટે ભરસ્તાચારીઓ લાભાર્થીઓના પુરાવામાં સ્પેલિંગ, કેટેગરી તેમજ ઘરના બીજા સભ્યોનાં નામને બદલીને એકથી વધુ વખત ઉપયોગ કરવામાં આવ્યા છે. અને એક જ શૌચાલયને બે થી ચાર વખત સરકારી ચોપડે બતાવીને બેથી ચાર વાર એક જ શૌચાલયના પૈસા ચુકવવામાં આવ્યા છે.