GujaratIndiaNews

શિક્ષણમંત્રીએ કરી જાહેરાત : આવનારા દિવસોમાં 3,300 વિદ્યાસહાયકોની ભરતી થશે, સાથે દિવ્યાંગતાની ટકાવારીના થયો ફેરફાર,

જણાવી દઈએ કે,થોડાક કલાકો પહેલા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યા સહાયકની ભરતી અંગે માહિતી આપી છે.તેમણે જણાવ્યુ કે,શિક્ષણ વિભાગે આઠ સરકારી પોલિટેકનિક ખાતે ડિપ્લોમા ઈન ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો નવો અભ્યાસક્રમ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.સાથે નોકરીમાં દિવ્યાંગતાની ટકાવારી ૩ ટકાથી વધારીને ૪ ટકા કરી છે.

હવે આગામી દિવસોમાં ૩,૩૦૦ જેટલા વિદ્યાસહયકોની ભરતી થશે.આ ભરતી પ્રક્રિયામાં ધોરણ ૧ થી ૫ માં ૧,૩૦૦ જેટલાની ભરતી કરવામાં આવશે, જ્યારે ધોરણ ૬ થી ૮ માં ૨,૦૦૦ જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે,રાજ્યની સરકાર દ્વારા આ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે.જો કે,આ ભરતી ક્યારે થશે એ અંગે કોઈ ચોક્કસ સમય આપ્યો નથી.

વધુમાં જણાવતા કહ્યું,આ આઠ પોલિટેકનિકમાં સમાવેશ કરવામાં આવશે: સરકારી પોલિટેકનિક : વડનગર, ડો.જે.એન.મહેતા પોલિટેકનિક : અમરેલી, એલ.ઈ.કોલેજ ( ડિપ્લોમા ) : મોરબી, એ.વી.પી.ટી.આઈ : રાજકોટ, સરકારી પોલિટેકનિક : પાલનપુર આ ઉપરાંત કન્યાઓ માટેની, સરકારી પોલિટેકનિક : સુરત,સરકારી પોલિટેકનિક : ગાંધીનગર સરકારી પોલિટેકનિક : અમદાવાદ કન્યાઓ માટેની સરકારી પોલિટેક્નિક.