GujaratIndiaNewsPoliticsSurat

શું નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાશે ? ગુજરાતનું રાજકારણ ગરમાયું, જાણો વધુ વિગતે,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે,એક દિવસ અગાઉ કોંગ્રેસના ચાર ધારાસભ્યો પાટીદાર આંદોલનના નેતા અલ્પેશ કથીરિયાની ઓફિસે મુલાકાત કરી હતી.આ સમાચારો વચ્ચે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે પણ રાજકારણ ગરમાયું છે.

પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ ખોડલધામના નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટેનું આમંત્રણ આપ્યું છે.શું નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે ? નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયાને કોંગ્રેસમાં જોડાવા મોટા મોટા નેતાઓ આમંત્રણ આપી રહ્યા છે.કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ વધુ જણાવતા કહ્યું,નરેશ પટેલનું અમે કોંગ્રેસમાં સ્વાગત માટે તૈયાર છીએ.

નરેશ પટેલ ગુજરાતમાં મોટો સામાજિક ચહેરો છે.સાથે એમ પણ જણાવ્યુ કે,અલ્પેશ કથીરિયાનું પણ કોંગ્રેસમાં અમે સ્વાગત કરવા માટે તૈયાર છીએ.કોંગ્રેસ નેતા લલિત વસોયાએ પણ જણાવ્યુ કે,નરેશભાઈ કોંગ્રેસમાં આવે એવું પાર્ટી ઈચ્છી રહી છે.

સાથે એ પણ જણાવીએ કે,સુરતના પાટીદાર નેતા ધાર્મિક માલવિયા સુરત શહેરના પાસ નેતા અને ખોડલધામ સુરતના પ્રમુખ છે.તેમણે વધુમાં જણાવતા કહ્યું કે,નરેશ પટેલ જે પાર્ટીમાં જોડાશે તેને ફાયદો થશે.