Gujarat

સોનલધામ મઢડાના પૂજ્ય બનુઆઈ 94 વર્ષની વયે દેવલોક પામ્યા, દેશ-વિદેશમાં રહેલા છે ભક્તોમાં શોકનું મોંજુ છવાયું

જૂનાગઢના મઢડા ગામથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના ચારણ કુળના સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામતા ગમગીની વાતવરણ વ્યાપી ગયું છે. જ્યારે તેમના અવસાન સમાચાર સામે આવતા જ દેશ-વિદેશમાં રહેનાર તેમના ભક્તોમાં શોક પ્રસરી ગયો છે. તે ૯૪ વર્ષની દેવલોક પામ્યા છે. જ્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે, બનુઆઈને મંગળવારના રોજ સમાધી આપવામાં આવશે. તેની સાથે તેમના પાર્થિવ દેહને અંતિમદર્શન માટે આવતીકાલના રાખવામાં આવશે.

મઢડા ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર જુનાગઢની નજીક આવેલ છે. તેમાં પણ 700 જેટલી વસ્તી ધરાવનાર આ ગામ ભક્તોની આસ્થાનું ધામ રહેલું છે. અહી હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા રહે છે. જ્યારે સોનલ માતાજીના બહેન બનુઆઈની વાત કરીએ તો તે ઘણા સમયથી બીમાર હાલતમાં હતા.
આ મંદિરની વાત કરવામાં આવે તો આ મંદિર વિશાળ જગ્યામાં ફેલાયેલ છે અને દરરોજ અનેક ભાવી-ભક્તો દર્શન માટે આવતા રહે છે. તેની સાથે બનુઆઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ-વિદેશથી ભક્તો આવતા રહે છે. સોનલ માતાજી પર ભક્તોનો અતૂટ પ્રેમ રહેલો છે અને તેમના પર ભક્તોને શ્રદ્ધા રહેલી છે. જ્યારે માતાજીના એક હુકમ વગર ગામમાં કોઈ કામ કરવામાં આવતું નથી.