Astrology

સૂર્યદેવની કૃપાથી આ વર્ષે આ રાશિ પર થશે ધનવર્ષા, જાણો કઈ કઈ છે આ રાશિ?

સૂર્યદેવને બધા ગ્રહનો રાજા માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પણ કુંડળીમાં સૂર્યના સ્થાનને વધારે મહત્વ આપવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિની રાશિમાં સુર્ય શુભ હોય છે, તેની કિસ્મત ચમકી જાય છે. નસીબનો તેમને ખૂબ સહકાર મળે છે. તે સૂર્યદેવની કૃપયાથી ઘણી સફળતા મેળવે છે નવી ઊંચાઈ પર પહોંચે છે. તેમને જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી.

સૂર્યને આત્મા, પિતા, સન્માન, સફળતા, પ્રગતિ અને ઉચ્ચ કારકિર્દીનો કારક ગ્રહ પણ માનવામાં આવે છે. સૂર્ય દર મહિને રાશિ બદલે છે. તે લગભગ એક મહિના સુધી એક રાશિમાં રહે છે. 2022 માં સૂર્યના રાશિચક્રમાં પરિવર્તનથી અમુક રાશિના લોકોને ફાયદો થશે.

મેષ : સારા સમાચાર સાંભળવા મળશે. શત્રુઓનો પરાજય થશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. સમાજમાં તમને માન-સન્માન મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પતિ-પત્ની વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ રહેશે. બાળકો ખુશ રહેશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.આર્થિક રીતે તમારો પક્ષ મજબૂત રહેશે. અચાનક નાણાંકીય લાભ થશે. આવકના નવા સ્ત્રોત મળશે. પ્રિયજનો સાથેના સંબંધોમાં દબાણ આવશે. ભાગ્ય તમારો સાથ આપશે. અટકેલા કામ સમયસર પૂરા થશે. પરિવારમાં કોઈ શુભ કાર્ય થશે.

મિથુન : આ વર્ષ તમારી માટે ખૂબ શુભ રહેશે. નોકરીમાં પ્રમોશન મળશે. નોકરી શોધતા લોકોને નોકરી મળશે. નવો વેપાર શરૂ કરવા માટે આ વર્ષ ખૂબ ઉત્તમ સાબિત થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે જેનાથી તમને ધનલાભ થશે. કોઈને ઉદ્ધાર આપેલ પૈસા પરત મળશે. પરણિત વ્યક્તિઓના જીવનમાં કોઈ સારા સમાચાર મળશે. લગ્ન કરવા માંગતા મિત્રોના લગ્ન થઈ શકે છે. પૈસાની કોઈ જ કમી રહેશે નહીં. આવક સતત વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આત્મવિશ્વાસ વધશે. તમારું માન-સન્માન થશે.

કર્ક : પૈસા સંબંધિત મામલાઓમાં સમય સારો રહેશે. મકાનોની ખરીદી અને વેચાણ શક્ય છે. જૂના સપના સાકાર થશે. મન શાંત રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે. દીકરી સુખ મળશે. પતિ સાથે સંબંધ સારા રહેશે. અચાનક નાણાંકીય લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.સમાજમાં માન-સન્માન વધશે. બાળકોને ગર્વ થશે. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં ફાયદો થશે. સુખદ પ્રવાસની સંભાવના બની શકે છે. ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. ભગવાનમાં શ્રદ્ધા વધશે. જો તમે ક્યાંક પૈસા રોકવા માંગો છો તો સમય સારો છે.

સિંહ : સિંહ રાશિના લોકો માટે વર્ષ 2022 ઘણી ખુશીઓ લઈને આવશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. તમને રોકાયેલા પૈસા મળશે. ઘરની સમૃદ્ધિ ઘટશે નહીં. મા લક્ષ્મીની કૃપાથી ઘરમાં પુષ્કળ ધન આવશે. પતિનું સુખ મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે.વ્યાપારમાં લાભ થશે. દૂરના સંબંધી સાથે મુલાકાત લાભદાયક રહેશે. તમને મિત્રોનો સહયોગ મળશે. મન શાંત અને પ્રસન્ન રહેશે. સંતાન સુખ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમને પ્રિયજનોનો સહયોગ મળશે.

વૃશ્રિક : નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય ખૂબ ઉત્તમ છે. નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. નવો વેપાર શરૂ કરવા માટે અથવા તો તમારો ચાલુ વેપાર વધારવા માટે સારો સમય છે. જીવનમાં સુખ જ સુખ આવશે. જૂની સમસ્યાઓ દૂર થઈ જશે. શત્રુઓ પર તમારો વિજય થશે. પતિ પત્ની સાથે સારો સમય પસાર કરી શકશો. લોકો તમને મદદ કરશે. સમાજમાં તમારી નામના અને સ્થાન વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે.