ElectionIndiaPolitics

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે એ CM પદના શપથ લીધા, રાજ ઠાકરે પહોંચતા જ લોકોએ તાળીઓથી સ્વાગત કર્યું

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર શરૂ થઈ છે.શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. શપથ સાથે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રીની ખુરશી પર બેસનારા ઠાકરે પરિવારના પહેલા સભ્ય બન્યા. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના તમામ મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઘણા રાજ્યોના સીએમ પણ સમારોહમાં પહોંચ્યા હતા. જેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પણ ભાગ લીધો હતો.

મનસેના વડા રાજ ઠાકરે સ્ટેજ પર પહોંચતાંની સાથે જ લોકોએ તાળીઓથી તેમનું સ્વાગત કર્યું.નોંધપાત્ર વાત એ છે કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા ત્યાં શિવાજી પાર્ક ગ્રાઉન્ડમાં 70 હજારથી વધુ ખુરશીઓ લગાવવામાં આવી છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના મોટી સંખ્યામાં સમર્થકો અહીં પહોંચ્યા છે.

ઉદ્ધવે શિવાજી મહારાજને નમન કરતી વખતે મરાઠી ભાષામાં શપથ લીધા હતા અને તેઓ ઠાકરે પરિવારના પહેલા મુખ્યમંત્રી છે. ઉદ્ધવ બાદ કેબિનેટના અન્ય પ્રધાનો શપથ લઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે પછી શિવનાથના એકનાથ શિંદે, સુભાષ દેસાઇએ પ્રધાન પદના શપથ લીધા હતા. આ પછી ધારાસભ્ય પક્ષના નેતાઓ જયંત પાટિલ અને છગન ભુજબલે એનસીપીના ક્વોટાથી શપથ લીધા હતા.

મહારાષ્ટ્રમાં શિવસેનાનો પાયો નાખનારા બાલ ઠાકરેના પુત્ર ઉદ્ધવનો જન્મ 27 જુલાઈ, 1960 ના રોજ બોમ્બેમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ બાલમોહન વિદ્યા મંદિરથી મેળવ્યું. ત્યારબાદ તેમણે સર જેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ આર્ટમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે