Ajab GajabIndia

વરમાળા સમયે ખુબ ઉત્સાહિત કન્યાએ ફેરા ફરવાના સમયે લગ્ન કરવાની કહી ના, મામાએ એવું તો શું કર્યું કે..

ઉત્તરપ્રદેશમાં એક દુલ્હને પોતાના લગ્ન મંડપ પર પહોંચીને ધમાલ શરુ કરી હતી. આ દુલ્હને આ દુલ્હા સાથે લગ્ન કરવાની ના કહી દીધી હતી. આ પછી જાન દુલ્હન લીધા વગર જ પરત ફરી ગઈ હતી. આ ઘટના ઉત્તરપ્રદેશના ઓરૈયા જિલ્લાના એક ગામની છે. છોકરીવાળાએ જાનનું સ્વાગત બહુ ધામધૂમથી કર્યું હતું. જાન આવી પછી વરમાળાની વિધિ પણ કરવામાં આવી હતી એ સમયે પણ દુલ્હન ખુબ ખુશ હતી. પણ પછી દુલ્હન અચાનક આ લગ્ન કરવાથી ના કહી દે છે. અનેક લોકોના સમજાવવા છતાં પણ તે માનતી નથી. જયારે ફેરા ફરવાની વાત આવે છે તો દુલ્હન ના કહી દે છે.

રવિવારે હમીરપુરથી જાન ઔરૈયા સદર કોતવાલી વિસ્તારના જેનેતપુર ગામમાં આવી હતી. લગ્ન સમારોહ પછી, જ્યારે કન્યાને ફેરા માટે મંડપમાં લાવવામાં આવી ત્યારે કન્યાએ લગ્ન કરવાની ના પાડી. દુલ્હનના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું. દુલ્હન ના પાડતાની સાથે જ બારાતીઓમાં હંગામો મચી ગયો અને બધાએ દુલ્હનને સમજાવવાની કોશિશ શરૂ કરી. પરંતુ કન્યાએ કોઈની વાત ન સાંભળી.

વાત એમ હતી કે જે વરરાજા આ કન્યાને પરણવા માટે આવ્યો હતો તે મૂંગો હતો અને આ વાત કન્યાથી છુપાવવામાં આવી હતી. જયારે કન્યાને ખબર પડે છે તે જેની સાથે લગ્ન કરવા જઈ રહી છે તે બોલી શકતો નથી એટલે પછી કોઈના પણ ડર વગર તે લગ્ન કરવાથી ના કહી દે છે. લગ્નના ફેરા પહેલા જ કન્યાના મામા તેને બધી હકીકત જણાવે છે કે તે યુવક બોલી શકતો નથી. આ હકીકત જાણીને કન્યા લગ્ન કરવા માટે ના કહી દે છે. કન્યાના પિતા પણ તેને ખુબ સમજાવે છે પણ તે માનતી નથી અને પોતાના નિર્ણય પર અડગ રહે છે,

સંબંધીઓએ પણ કન્યાને મનાવવા માટે તેના પર ખૂબ જોર લગાવ્યું, પરંતુ તેણે બધાને સ્પષ્ટ કહ્યું કે હું મરી જઈશ પણ તેની સાથે લગ્ન નહીં કરું. હકીકતમાં, છોકરીના પરિવારના કેટલાક સભ્યોને વરરાજા મૂંગો હોવાની જાણ થઈ હતી. તે જ સમયે, છોકરીના મામાને તરત જ ખબર પડી કે વરરાજા મૂંગો હતો. આથી તેણે જરા પણ વિલંબ કર્યા વગર યુવતીને જાણ કરી હતી. જે બાદ યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

કન્યાએ લગ્ન કરવાનો ઇનકાર કર્યા બાદ જાનમાં આવેલા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને આ હંગામાને કારણે પોલીસને સ્થળ પર બોલાવવી પડી હતી. આ અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જે બાદ જાનને પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, કોઈપણ પક્ષે પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી અને તેને પરસ્પર મામલો ગણાવ્યો છે.