9 દિવસમાં 900 કિમી અંતર ચાલીને ઘરે આવનાર મજુરોએ કહી પોતાની વ્યથા, સાંભળનાર ના રુવાડા ઉભા થઇ જશે..
કોરોના વાયરસના ચેપને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે દેશના ઘણા રાજ્યોમાં કામદારો અટવાયા છે. 9 દિવસમાં 5 ભૂખ્યા અને તરસ્યા કામદારો 900 કિલોમીટર પગપાળા પ્રવાસ કરીને બુધવારે યુપીના લખીમપુર ઘેરી પહોંચ્યા.
ચંદીગઢ થી બલરામપુરની ચાલીને રસ્તો કાપવા નીકળેલા 5 મજૂરો ગઈરાત્રે 900 કિ.મી.ના પગથી લખીમપુર પહોંચ્યા હતા. જ્યારે જાણીતી ન્યુઝ ચેનલ આજ તકની ટીમે આ પાંચ મજુરોને પૂછ્યું કે તમે ક્યાંથી ચાલતા આવો છો અને કેટલો સમય થયો છે, તમે કઈ જમ્યા છો કે નહી ? તો એમના જવાબ ખુબ જ હદયસ્પર્શી હતા.
લગભગ 900 કિલોમીટર સુધી પગપાળા ચાલનારા કામદારોએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી તેમને ખાવા-પીવા કઈ મળ્યું નથી. 3 દિવસ થી ભૂખ્યા પેટે ચાલતા આ ભૂખ્યા મજૂરો માટે લંચ પેકેટોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ચંદીગઢ થી બલરામપુર ચાલીને જતા મજૂરોમાંથી એક પ્રમોદે કહ્યું, “અમે ચંદીગઢ માં દૈનિક વેતનનું કામ કરીએ છીએ. અમે એક અઠવાડિયાથી વધુ પગપાળા ચાલતા આવ્યા છીએ. અમે સતત ૩ દિવસથી ભૂખ્યા હતા. ૩ દિવસ પછી અમે આજે અહીં આવ્યા અને આજે અહી અમને ભોજન નસીબ થયું છે.

તમને જણાવી દઇએ કે 25 માર્ચથી ફસાયેલા મજૂરો હવે રાહ જોઇ શકે એવી હાલતમાં નથી એમની જોડે ખાવા પીવા પૈસા પણ નથી એવી કફોડી હાલત છે. અને તમામ કામદારો તેમના ઘર તરફ ચાલવા લાગ્યા છે. તેમ છતાં, રસ્તાઓ પર ઉતરેલા મજૂરોનું ઘરે પહોચવાનો સિલસિલો અટકતો નથી.