અમદાવાદ : વસ્ત્રાલમાં સોસીયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા ,લોકોના ટોળા ઉમટી પડ્યા જુઓ ફોટો…
કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે.કેસ ઓછા થવાનું નામ લેતા નથી.લોકો ધંધા રોજગાર વગરના બન્યા છે મજુરી કરીને પેટ ભરતા લોકો આજે ભૂખે મરતા હોય એવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે.આજે રાજ્ય સહિત દેશભરમાં પરપ્રાંતમાં મજુરી કરવા ગયેલા લોકો પોતાના વતન જવા મજબુર થયા છે.વતનમાં જવા લોકો કોરોના અંગે જાગૃતિ પણ અમુક જગ્યાએ રાખતા નથી.એવા જ દ્રશ્યો આજે અમદાવાદમાં જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આજે કંઈક અણધાર્યા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. અહી ઉલ્લેખનીય છે કે વતન જવા ભેગા થયેલા લોકો તો એવા ટોળે વળ્યા હતા કે જાણે સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે એમને કોરોનાનો એમને કોય ભય જ નાં હોય.
અહી ઉલ્લેખનીય છે કે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રહે છે. તમને જણાવી દઈએ કે અહીં કોરોનાના કેસ પણ નોંધાઈ ચૂક્યા છે. જોકે, આજે સવારથી જ અહીં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર પોતાના સામાન સાથે પોતાના વતન જવા માટે ઉમટી પડ્યા હતા. અહિયાં ભેગા થયેલા લોકોની ભીડ એટલી બધી હતી કે સોશિયલ ડિસ્ટન્સિંગના કાયદેસરના ધજાગરા ઉડ્યા હતા .એક અંદાજ અનુસાર, તમને જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતમાં 20 લાખથી પણ વધુ પરપ્રાંતિયો પોતાના વતન જવા માગે છે, અને ચિંતા જનક વાત તો એ છે કે જેમાંથી હજુ માંડ 20 ટકાની વ્યવસ્થા થઈ શકી છે.બાકી લોકોની વ્યવસ્થા થઇ નથી.
.
એક તરફ સમગ્ર અમદાવાદ ને કોરોનાના પગલે લોક કરી દેવામાં આવ્યું છે.કોરોનાની સ્થિતિ ભયાનક નાં થાય એટલા માટે તો લોકોના જીવન જરૂરીયાતો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે કેમ કે લોકો એના બહાને પણ શહેરમાં લટાર મારવા નીકળી પડતા હતા.અહી ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં લોકો ઘરોની બહાર ના નીકળે તે માટે દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો પણ એકદમ બંધ કરાવી દેવાઈ છે,તમને જણાવી દઈએ કે પોલીસ અને અર્ધલશ્કરી દળોને શહેરમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ જ દરમિયાન કામ વિના ઘરની બહાર નીકળતા લોકો સામે પણ સખ્ત કાર્યવાહી કરાઈ રહી છે. જ્યારે બીજી તરફ, આ જ દરમિયાન વસ્ત્રાલમાં આજે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભયજનક રીતે અભાવ જોવા મળ્યો હતો.