સુરતથી અમરેલી જવું હોય એ લોકો એકવાર આ વિડીયો જોઈ લેજો, કદાચ સુરત છોડવાનું નામ નહીં લો
દેશમાં લોકડાઉન થતા જ લોકોના કામધંધા બંધ થઇ ગયા છે અને લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા છે.હવે જયારે લોકોની ધીરજ ખૂટી રહી છે ત્યારે સરકારે મજૂરો ને પોતાના વતન મોકલવાની શરૂઆત કરી દીધી છે. મજૂરો ને વતન મોકલાતા સુરતમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના લોકો એ પણ વતન જવાની માંગ ઉઠાવી હતી. સૌરાષ્ટ્રના લાખો લોકો સુરતમાં રહીને નોકરી-ધંધો કરતા હોય છે ત્યારે લોકડાઉન ને કારણે તેમને રહેવા-જમવાની અગવડ પડતા પોતાના વતન જવાની માંગ ઉઠાવી હતી.
સરકારે લોકોની માંગ સ્વીકારતા સુરતમાંથી સૌરાષ્ટ્ર પોતાના વતન જવા માટે લોકોને શરતી પરમિશન આપી છે.શરતો મુજબ સુરતથી કે અન્ય જગ્યાએથી સૌરાષ્ટ્ર જતા લોકોને 14 દિવસ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેવું પડશે અને એક મહિનો પોતાનું વતન નહીં છોડી શકે. આજરોજ આરોગ્ય મંત્રી કિશોર કાનાણી એ માહિતી આપી હતી કે સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે કુલ 401 બસ રવાના થઇ છે.
મોટા ભાગની બસ અમરેલી જિલ્લામાં પ્રવેશ કરવાની હોય ચાંવડ નજીક ચેક પોસ્ટ ઉભી રાખવામાં આવી છે. ત્યાં રીતસરના ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા છે.લોકોને ફૂડ પેકેટ આપ્યા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે પણ આ બધા વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં અમરેલી-ધારી પહોંચેલ એક યુવક પોતાની વ્યથા જણાવી રહ્યો છે.
ધારી-પટેલવાડી ના દ્રશ્યો બતાવીને યુવક કહી રહ્યો છે કે,સુરતવાળા કોઈ અહીં આવતા નહિ ત્યાંને ત્યાં જ રહેજો.અહીંયા આવી વ્યવસ્થા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અમરેલી ગયેલા લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં એકસાથે બાજુ બાજુમાં જ બેસાડવામાં આવ્યા છે. લોકો સોશિયલ મીડિયામાં કહી રહયા છે કે આમ તો કોરોના નહીં હોય તો પણ આવી જશે.
આ વિડીયો જોઈને લોકોને અપીલ છે કે જ્યાં હોય ત્યાં જ રહે નહીં તો આવી હાલતમાં કોરોના નો ચેપ વધુ લાગી શકે તેમ છે.