Gujarat

હવામાન વિભાગની આગાહી 30 મે આસપાસ ગુજરાતનાં આ વિભાગોમાં ‘અમ્ફાન’ જેવુ ચક્રવાત ત્રાટકી શકે છે

રાજ્ય સહિત દેશભરમાં અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, લોકો અને સરકાર પણ આ મહામારીથી ખૂબ જ પરેશના છે. સરકારને પણ આ મહામારીના લીધે મોટું આર્થિક નુકસાન ભોગવવો પડ્યું છે. તો બીજી બાજુ હવામાન વિભાગે પણ આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના રિપોર્ટ પ્રમાણે, એમ્ફાન વખતે જેવી વાતાવરણિય સ્થિતિ હતી એવી જ સ્થિતિ અત્યારે અરબ સાગરમાં ઉભી થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર ત્રાટકેલા એમ્ફાન વાવાઝોડાંની વિનાશક અસરમાંથી દેશ હજી સુધી બહાર નથી ત્યાં વધુ એક વાવાઝોડાનો દેશ પર ખતરો છે એવું હવામાન વિભાગની એક સંસ્થાએ આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં પેદા થનારું આ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્ર પર ત્રાટકે તેવી શક્યતા છે. અહી ઉલ્લેખનીય છે કે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડું 30 મેની આસપાસ ત્રાટકે તેવી શક્યતા છે.

 

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના રિપોર્ટ પ્રમાણે તમને જણાવી દઈએ કે જો આ સ્થિતિ આગળ વધશે તો ચક્રવાત-વાવાઝોડાંનું સર્જન થઈ શકે છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યુ હતું કે આ વાવાઝોડું કદાચ 30 મેની આસપાસ વધારે મોટાં સ્વરૂપે જોવા મળે અને ગુજરાત-મહારાષ્ટ્રના કાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.આ વાવાઝોડાના પગલે મોટી તબાહી થઈ શકે છે એવું હવામાન વિભાગે જણાવ્યુ હતું.

આજે હવામાન વિભાગે કરેલી આ આગાહી મુજબ આ વાવાઝોડું ત્રાટકશે તો ભારે વરસાદ અને ભારે પવન પણ ફૂંકાશે જેથી વિનાશ વેરાવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, વાત કરીએ તો અત્યારે અરબી સમુદ્રમાં કોઈ પણ ડિપ્રેશન નથી પરંતુ દક્ષિણ-પૂર્વ અરબી સાગરમાં સાયકલોનિક સર્ક્યુલેશનની સ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિના કારણે જ હળવા દબાણનું ક્ષેત્ર પેદા થઈ શકે છે. આવ જ પ્રકારની પરિસ્થિતિને કારણે આજ થી થોડા દિવસ પહેલા એમ્ફાન પેદા થયું હતું. એમ્ફાન 15 મેની આસપાસ સક્રિય થયું હતું અને જે આગળ વધી શક્તિશાળી સુપર સાઈકલોનમાં ફેરવાઇ ગયું હતું.