બંગાળમાં ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસના ટ્રેનના ૧૨ ડબ્બા પાટા પરથી ઉતર્યા, ત્રણના મોત,અનેક ઈજાગ્રસ્ત
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાંથી એક ટ્રેન અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અકસ્માતમાં 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, આ ટ્રેનની વાત કરવામાં આવે તો તેમાં કુલ 24 કોચ રહેલા હતા. જેમાંથી લગભગ 12 કોચ પ્રભાવિત થયા હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના મોયનાગુરી પાર કર્યા બાદ ઘટી હતી. આ ટ્રેન પટનાથી ગુવાહાટી તરફ જઈ રહી હતી. તેની સાથે ડીઆરએમ, એસપી અને એડીઆરએમ દુર્ઘટના રાહત ટ્રેન મેડીકલ વાનની સાથે ઘટનાસ્થળ માટે પહોંચી ગઈ છે.તેની સાથે આ ભયંકર અકસ્માત બાદ રેલ્વે દ્વારા ઈજાગ્રસ્ત પરિવારજનો માટે બે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. તમે આ બે નંબર પર 03612731622, 03612731623 કોલ કરીને જાણકારી મેળવી શકો છો. પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રેન નંબર UP 15633 ના 6 ડબ્બા પાટા પરથી ઉતરી જતા આ દુર્ઘટના થઈ છે.
At least 4 compartments of Bikaner-Guwahati express derailed near Domohani in West Bengal #BikanarExpress #trainaccident #westbengal #domohani #TrainAccident #GuwahatiBikaner pic.twitter.com/ulYm8Yuzsn
— Rahul Singh Rajawat (@Rahulsi16973840) January 13, 2022
તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા ઈજાગ્રસ્તોને વહેલી તકે સારવાર આપવાના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે રેસ્ક્યુ કામ પણ ઝડપી કરવાના આદેશ આપ્યા છે. તેની સાથે આ ઘટનાની વિગતવાર જાણકારી મેળવવા માટે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત પણ કરવામાં આવી છે.
તેમ છતાં જાણવા મળ્યું છે કે, આ ટ્રેન બપોર સુધીમાં ગુવાહાટી પહોંચવાની હતી પરંતુ તે પહેલા જ આ ટ્રેન દુર્ઘટના થઈ ગઈ હતી. જ્યારે આ દુર્ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તેનો આંકડો હજુ સુધી સામે આવ્યો નથી.પીએમ મોદીએ પણ પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના વિશે પૂછપરછ કરી. કોરોના પર રાજ્યોના સીએમ સાથેની બેઠક દરમિયાન પીએમ મોદીએ મમતા બેનર્જી સાથે વાત કરી. રાહત ટ્રેન અને મેડિકલ વાનને જલપાઈગુડી લઈ જવામાં આવી. આ દુર્ઘટનામાં બિકાનેર એક્સપ્રેસના 12 કોચને નુકસાન થયું છે.