સુરેન્દ્રનગર બાજુ જાઓ તો અહીના ફેમસ સેવ મમરા ખાવાનું ન ભૂલતા, એડ્રેસ પણ આપેલ છે, જુઓ…
નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.
આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગર શહેરની,જ્યાં આપણે રાજેશ્વરી સ્વીટ માર્ટ,જેમના સેવ મમરા ખૂબ જ ફેમસ છે.તમને આ વાત સાંભળીને નવાઈ લાગશે કે સેવ મમરામાં શું નવું છે,પણ અહિયાના સેવ મમરા એક અલગ જ વસ્તુ છે.આ રાજેશ્વરી સ્વીટ માર્ટના માલિકનું નામ દર્શનભાઈ છે.
તેઓએ જણાવ્યુ કે,અમે દિવસના ૩૦-૪૦ કિલો મમરા બનાવીએ છીએ.આ મમરાના પેકિંગ થઈ સમગ્ર ભારતમાં વેચાય છે.તેઓ કુરિયર દ્વારા પણ સેવ મમરા વેચે છે.જો આપણે આ દુકાનના એડ્રેસની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં જિંતાન રોડ પર માતૃછાયા બંગલોની સામે આ દુકાન આવેલી છે,અને છતાં પણ જો સરનામું ન મળે તો ૯૪૦૮૦ ૬૧૧૪૦ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.
જો મિત્રો તમે સુરેન્દ્રનગરમાં રહેતા હોય અથવા સુરેન્દ્રનગર બાજુ જાઓ તો રાજેશ્વરી સ્વીટ માર્ટના સેવ મમરા ખાવાનું ન ભૂલતા.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.