થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાં એક પછી એક ભંગાણ થયા હોવાથી વિધાનસંભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે,ચૂંટણી પહેલા સુરતમાં ફરી રાજકારણમાં ભૂકંપ આવી શકે છે.હા કોંગ્રેસ તરફથી આલોપેશ કથીરિયાને કોંગ્રેસમાં જોડાવવા આમંત્રણ આવ્યું છે.શું PASS ના નેતા અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાશે ?
વધુમાં જણાવીએ તો મળતી માહિતી અનુસાર પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવા નેતા અલ્પેશ કથીરિયાની ઓફિસે કોંગ્રેસના ચાર ધારાસભ્યો લાલિતભાઈ કથગરા, લલિતભાઈ વસોયા,કિરીટભાઈ પટેલ અને પ્રતાપભાઈ દુઘાતે મુલાકાત કરી હતી.અલ્પેશ કથીરિયાને કોંગ્રેસમાં લાવવાની કોંગ્રેસ નેતાઓની કવાયત છે.
થોડા વર્ષો પહેલા ગુજરાતમાં ચાલી રહેલ પાટીદાર આંદોલનમાં કોંગ્રેસમાં જોડાયા એ પહેલા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની જોડીએ સમગ્ર સમાજનું ધ્યાન ખેંચ્યું હતું.અલ્પેશ કથીરિયાએ નિવેદનમાં જણાવ્યુ કે,અમારી માંગો સરકારે પૂર્ણ કરી નથી અને કોંગ્રેસના આમંત્રણ પર આગામી સમયમાં નિર્ણય લઈશું.
તેમની આ બેઠક બાદ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે,આ સામાન્ય ચર્ચા માટે બેઠક હતી.જો સરકાર અમારી આ માંગો પૂર્ણ ન કરે તો ભોગવવું પડશે.અલ્પેશે વધુમાં જણાવતા કહ્યું,જો આ પ્રશ્નનું નિરાકરણ નથી લાવતા અને જો એ નિરાકરણ આવશે તો એના માટે આગામી દિવસોમાં શું કરીશું એ અમે નક્કી કરીશું.