ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યાને લઈને સતત અવનવી જાણકારીઓ સામે આવી રહી છે. આ હત્યાના કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે એવામાં આ ઘટનાને લઈને નવી-નવી માહિતી સામે આવી રહી છે. એવામાં હવે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ ને તેની હત્યામાં મોટી સફળતા મળી ગઈ છે.
આ કેસમાં મોરબી પોલીસ દ્વારા આ ઘટનાને અંજામ આપવા માટે હથિયાર આપનાર રાજકોટના અજીમ સમાના ભાઈને ઝડપી પાડવામાં આવ્યો છે. મોરબી પોલીસ દ્વારા આરોપી અજીમના ભાઇની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ધંધુકામાં યુવાનની હત્યા મામલે હથિયાર આપનાર રાજકોટના અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત મોરબી બી ડિવિઝન પોલીસે દ્વારા કરવામાં આવી છે અને તેને અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચની ટીમને સોંપવામાં આવેલ છે.
નોંધનીય છે કે, આ પહેલા પોલીસને સર મુબારક ની દરગાહ પાછળથી એક પિસ્તોલ મળી હોવાની જાણકારી સામે આવી હતી. જ્યારે પોલીસ દ્વારા આ ઘટનામાં ઉપયોગ થયેલ હથિયાર અને બાઈક જપ્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરગાહની પાછળ રહેલા ખુલ્લા મેદાનમાં પિસ્તોલ મળી આવેલ છે.
તેની સાથે આ ઘટના કનેક્શન પાકિસ્તાન સાથે જોડાઈ ગયા છે. પાકિસ્તાનમાં તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠન દ્વારા હત્યા ની જવાબદારી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠન નો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે હોવાનું જાણવા મળ્યું છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી છે. તેની સાથે તે પણ જાણવા મળ્યું છે કે, ખાદીમ રિઝવી રાજકીય હત્યાઓ કરાવવાના અજેન્ડા પર કામ કરે છે.
જ્યારે ધંધુકાના યુવકની હત્યા કરવા માટે મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ ઘટનામાં એ પણ જાણવા મળ્યું છે કે, આરોપીઓ દ્વારા પાકિસ્તાન સંગઠન પર ભડકાઉ ભાષણો સાંભળ્યા બાદ અમદાવાદ અને મુંબઈના મૌલાનાઓની વચ્ચે તેની હત્યાના સંદર્ભમાં હત્યા કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જ્યારે હવે આ મામલામાં ATS દ્વારા આરોપીઓના પાકિસ્તાન કનેક્શન શોધવા માટે અલગ ટીમ બનાવવામાં આવી છે.