India

એક સમયે આ વ્યક્તિને લોકો કહેતા વેલા, આજે તે જ વ્યક્તિ જરૂરિયાતમંદોને મફત ભોજન અને એમ્બ્યુલન્સ સેવા પાડે છે પૂરી…

Free food and ambulance service

સરબજીત સિંહ ઉર્ફે બોબી, એક વ્યક્તિ જેને લોકો ‘વેલા’ કહીને બોલાવતા હતા. વેલા એટલે કે જેની પાસે કોઈ કામ નથી, પણ આજે આ વ્યક્તિ શિમલામાં એવું કામ કરી રહ્યો છે, જેના કારણે ફક્ત હિમાચલ પ્રદેશ જ નહીં પણ પૂરા દેશને તેના પર ગર્વ છે.

વેલા બોબીના નામથી પ્રખ્યાત સરબજીત વર્ષોથી શહેરની હોસ્પિટલમાંથી મૃતદેહોને સ્મશાનગૃહ સુધી મફતમાં લઈ જવાનું કામ કરી રહ્યો છે. આટલું જ નહીં, તેઓ એટેન્ડન્ટ્સ અને દર્દીઓ માટે ફ્રી ફૂડ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરે છે.

સરબજીત શિમલામાં જૂતાની દુકાન ચલાવે છે. તેને શરૂઆતથી જ ડ્રાઇવિંગનો શોખ હતો. તે હંમેશા લોકોને મદદ કરતો હતો. બાદમાં તેણે નોકરી છોડી દીધી અને કાર ચલાવવાનું શરૂ કર્યું. તેણે મૃતદેહોને શહેરની હોસ્પિટલમાંથી સ્મશાનગૃહ સુધી મફતમાં લઈ જવાની શરૂઆત કરી.

બોબીને વેલા કહેવામાં વાંધો નથી, પણ હવે તે તેનું નામ બની ગયું છે. કારણ કે, વર્ષોથી તે નોકરી છોડીને મફતમાં વાન ચલાવી રહ્યો છે. સરબજીત કહે છે કે શિમલામાં સ્મશાન દૂર છે. પગપાળા પહોંચવું મુશ્કેલ છે. ગરીબોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તે લોકો માટે સ્મશાન સુધી પહોંચવાની રાહ જોવી ખૂબ મુશ્કેલ હતું. તેથી સરબજીતે તેની મદદ કરવાનું નક્કી કર્યું. આજે સરબજીતની સેવા એ લોકો માટે વરદાનથી ઓછી નથી અને આ કામ માટે તે રાત-દિવસ હાજર રહે છે.

સરબજીત છેલ્લા 10 વર્ષથી સતત આ કામ કરી રહ્યો છે. અત્યાર સુધી તેણે હજારો લોકોની અંતિમ યાત્રા પૂરી કરી છે. આમાંથી મોટા ભાગના ગરીબ લોકો હતા, જેનું મૃત્યુ શિમલા કેન્સર હોસ્પિટલમાં થયું હતું. આ ઉપરાંત બીજું કે સરબજીત શહેરની હોસ્પિટલોની મદદથી પોતાના ખર્ચે દર રવિવારે બ્લડ કેમ્પનું આયોજન કરે છે. પહેલા તેઓ આ જ કામ ગુરુદ્વારાની બહાર કરતા હતા.

તેઓ કહે છે, ‘રાજ્યભરમાંથી લોકો રાજધાની શિમલા સારવાર માટે આવે છે. શિમલાની મોટી હોસ્પિટલ, ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને કમલા નેહરુ હોસ્પિટલમાં હંમેશા લોહીની અછત રહે છે. તેથી જ મેં આ દર્દીઓની મદદ માટે રક્તદાન શિબિરનું આયોજન કર્યું.

તેણે ‘ઓલમાઇટી બ્લેસિંગ્સ’ નામની સંસ્થા પણ બનાવી છે. આના દ્વારા તેઓ સમગ્ર શહેરમાં ચાર કેન્ટીન ચલાવી રહ્યા છે, જ્યાં દર્દીઓ અને તેમના સંબંધીઓને મફત ભોજન મળે છે. હકીકતમાં, જો દરેક વ્યક્તિ સરબજીતની જેમ વ્યસ્ત રહેવા લાગે, તો દુનિયામાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ ખાલી હાથે રસ્તા પર જોવા નહીં મળે.