GujaratSouth GujaratSurat

સુરતમાં 30 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા પોલીસ થઈ દોડતી

રાજ્યમાં સતત આપઘાત ની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને જાણકારીઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જે એક બાબત સુરત શહેરથી સામે આવી છે. સુરતમાં એક યુવક દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનું આમે આવ્યું છે. સૈયદપુરા પમ્પિંગ અક્ષા હોટલની સામે આવેલા કે. જી. એપાર્ટમેન્ટમાં રહેનાર યુવક દ્વારા ગળે ફાંસો ખાઈને જીવન ટુકાવી દેવામાં આવ્યું હતું.  તેમ છતાં આત્મહત્યા પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના કે. જી. એપાર્ટમેન્ટમાં શેખ કોબિર અલી નામનો વ્યક્તિ ભાડાના મકાનમાં રહી રહ્યો હતો. એવામાં રાત્રીના કોઈ કારણોસર ઘરમાં રૂમાલને હુંક સાથે બાંધી ગળેફાંસો ખાઈને જીવન ટુકાવી દીધું હતું. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનીક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ​​​​​​​

પોલીસ દ્વારા ત્યાર બાદ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો તો યુવકની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. યુવકના ઘરમાંથી એક પાળેલો પોપટ પણ મળી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા યુવકના પરિવારને આ મામલે જાણ કરવામાં આવી હતી. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. તેમ છતાં યુવકે ક્યા કારણોસર આત્મહત્યા કરી તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. પોલીસ દ્વારા હાલમાં આ મામલામાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે. યુવક દ્વારા કયા કારણોસર આત્મહત્યા કરવામાં આવી છે.

 

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે