Gujarat

જામનગર-દ્વારકા હાઈવે પર પુરપાટ ઝડપે આવતી કારે ચાર લોકોને ટક્કર મારી, ત્રણના મોત

જામનગર-દ્વારકા હાઈવે પર આજે પગપાળા દ્વારકા જઈ રહેલા ચાર યાત્રિકોના સમૂહને જીવલેણ અકસ્માત નડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના નાની ખાવડી નજીક બની હતી જ્યારે હાઇવે પર ઝડપભેર આવતી એક કાર યાત્રાળુઓ સાથે અથડાઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓ – રમેશભાઈ, પરેશભાઈ અને કરસનભાઈના મોત થયા હતા. આ દુર્ઘટના સવારની વહેલી સવારે થઈ હતી.

યાત્રાળુ પગપાળા ચાલીને દ્વારકા જઈ રહ્યા હતા. ત્યારે કાર ચાલકે અડફેટે લેતા તેઓના મોત થયા.અકસ્માતને પગલે 108ની પણ ઘટના સ્થળે પહોંતી હતી અને ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

દિવાળી તહેવારમાં રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો પ્રવાસન સ્થળ પર ઉમટી રહ્યા છે. ત્યારે હાઇવે પર અકસ્માતના બનાવમાં પણ વધારો થઈ રહ્યો છે.