SaurashtraGujaratRajkot

પદ્મિની બાની તબિયત લથડ્યા બાદ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ 14 દિવસે કર્યા પારણા

રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ ની મહિલા માટે કરવામાં આવેલ વિવાદિત નિવેદન થી સમગ્ર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાની ટીપ્પણી બાદ આંદોલનને વેગ આપનાર પદ્મીનીબા વાળા દ્વારા અન્નનો ત્યાગ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પદ્મીનીબા વાળા ગુજરાત રાજપૂત મહિલા કરણી સેનાના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચ વર્ષથી ફરજ પર રહેલા છે. જ્યારે આ વિવાદ બાદ પદ્મિની બા વાળા 14 દિવસથી અન્ન ત્યાગ પર રહેલા હતા. એવામાં ક્ષત્રિય પદ્મિનીબાને લઈને એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, ગત રોજ તેમની અચાનક તબિયત બગડતા તેમને AIIMS માં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. AIIMS માં તે સારવાર હેઠળ રહેલા છે. બ્લડ પ્રેશર લો થઈ જવાના લીધે તેમનામાં નબળાઈ આવી ગઈ હતી. એવામાં હવે જાણકારી સામે આવી છે કે, ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા તેમને પારણા કરવા માટે ટેલિફોનિક અને રૂબરૂ સ્માજવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના દ્વારા સાધુ-સંતના હસ્તે પારણા કરવામાં આવ્યા હતા.

પદ્મિની બાની વાત કરીએ તો તે કરણી સેના ના મહિલા મોરચાના અધ્યક્ષ રહેલા છે અને રૂપાલા વિવાદને લઇને તે મેદાનમાં ઉતર્યા છે. પદ્મિની બા વાળા તાજેતરમાં ફેબ્રુઆરી 2024 માં રાજકોટ શહેર કમલમ ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તે રાજ શક્તિ મહિલા મંડળ રાજકોટના 10 વર્ષથી અધ્યક્ષ રહેલા છે. તેમજ ગુજરાત રાજપૂત મહિલા કરણી સેનાના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચ વર્ષથી ફરજ પર રહેલા છે.

તેની સાથે પદ્મિની બા વાળા પતિનું નામ ગિરિરાજસિંહ વાળા રહેલ છે. તેમનું મૂળ વતન ગધેથડ નજીક આવેલા તણસવા ગામ રહેલું છે. પતિ ગિરિરાજસિંહ વાળા બિઝનેસમેન રહેલા છે. તેની સાથે સંતાનમાં બે દીકરા રહેલા છે, જેમનું નામ સત્યજીતસિંહ વાળા અને પૂર્વરાજસિંહ વાળા રહેલ છે. તેમાં એક દીકરાએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા તાજેતરમાં પૂર્ણ કર્યો છે અને નાનો દીકરો ધોરણ-4 માં અભ્યાસ કરી રહ્યો છે.