અમદાવાદમાં આજે ફરી કોરોનાના કેસમાં જોવા મળ્યો ઉછાળો, ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા
ગુજરાતમાં આજે કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 15 હજારની અંદર કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14,781 નવા કેસ સામે આવ્યા છે. પરંતુ તેની સાથે અમદાવાદમાં કોરોનાના કહેર યથાવત રહેલો છે. અમદાવાદમાં આજે પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે.
અમદાવાદમાં છેલ્લા કલાકમાં શહેરમાં 5248 અને જિલ્લામાં 77 મળીને 5325 કેસ સામે આવ્યા છે. આ સિવાય અમદાવાદ શહેરમાં 9 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આ સિવાય એક સાર વાત પણ રહી છે કે, શહેરમાં 8336 અને જિલ્લામાં 176 દર્દી સારવાર દરમિયાન સાજા પણ થયા છે. અમદાવાદમાં કોરોનાના કહેરની વચ્ચે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઘટાડો વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે આજે એક સારી વાત સામે આવી છે.
અમદાવાદમાં આજે 29 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 12 ઝોનનો આજે ઉમેરો થયો છે. તેના લીધે માઈક્રો કન્ટેનમેન્ટનો આંકડો 171 પહોંચી ગયો છે. આજે 20 માઈક્રો કન્ટેનમેન્ટમાં ઘટાડો થયો છે. ગઈ કાલે 192 માઈક્રો કન્ટેનમેન્ટ રહેલા હતા.
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14,781 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે સારી વાત પણ એ રહી છે આજે કોરોનાથી 20,829 દર્દીઓ સારવાર દરમિયાન સાજા પણ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 21 લોકોના મોત નીપજ્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં નવ, સુરત કોર્પોરેશનમાં ત્રણ, સુરત જિલ્લા અને વલસાડમાં બે-બે, વડોદરા કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન, વડોદરા જિલ્લા, જામનગર કોર્પોરેશન અને જામનગર જિલ્લામાં એક-એક દર્દીના મોત નીપજ્યા છે.