અમદાવાદમાં જેને કોરોનાની વેક્સીન લીધી તેના માટે વરદાન સમાન, રસી ના લેનારા વેન્ટિલેટર પર
ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સતત છ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. તેની સાથે અમદાવાદમાં સૌથી ખરાબ સ્થિતિ છે કેમકે અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. તેમ છતાં અમદાવાદમાં કોરોના કેસ વધતા હોવા છતાં સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે.
સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસો વચ્ચે પણ સ્થિતિ નિયંત્રણમાં રહેલી છે. અમદાવાદમાં પ્રતિદિવસ બે હજારથી વધુ કેસો આવવા છતાં સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડની કોરોનાની હોસ્પિટલમાં માત્ર 17 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ રહેલા છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ 17 માંથી એક ઓમીક્રોન દર્દી સારવાર હેઠળ રહેલો છે. સિવિલ તેની સાથે હોસ્પિટલમાં દાખલ 12 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ રહેલી છે.
જ્યારે બે દર્દીઓ બાયપેપ પર સારવાર હેઠળ રહેલા છે આ બંને દર્દીઓએ કોરોનાની વેકસીન લીધી નથી જેના કારણે તે ગંભીર હાલતમાં રહેલા છે. હાલમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે આ દર્દીઓએ પણ કોરોનાની વેકસીનના બંને ડોઝ લીધા નથી. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોકટર રાકેશ જોશી દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોના સંક્રમિત થાવ અને બાયપેપનો માસ્ક પહેરવો પડે તે કરતા N95 માસ્ક પહેરવું સરળ રહેલ છે એટલે લોકો આ માસ્ક પહેરે છે. તેની સાથે તે પણ સ્પષ્ટ છે કે વેક્સીન લીધી હોય અને કોરોનાના થાય તો હોસ્પિટલમાં સારવાર માટે જવાની મોટાભાગના કિસ્સાઓમાં પડી રહી નથી.
તેની સાથે તેમને વધુમાં એ પણ જણાવ્યું છે કે, ભવિષ્યમાં કોરોના કેસો વધે અને હોસ્પિટલાઈઝેશન વધવા લાગે તો સિવિલ કેમ્પસમાં 3000 બેડ સુધી વ્યવસ્થા ઉભી કરી શકાશે. કોરોનાના બીજા વેવ સમયે ઉપયોગમાં લેવાયેલ દવાના જથ્થા કરતા દોઢ ગણો જથ્થો ત્રીજી લહેરની આશંકાને લઈને સુરક્ષિત કરવામાં આવ્યો છે એટલે દવાઓની કોઈ ચિંતા રહેલી નથી. 1200 બેડ હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજનની સુવિધા સાથે તૈયાર કરવામાં આવ્યા છે.
ઓક્સિજન પ્લાન્ટની પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ તૈયાર રાખવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલના તમામ કર્મચારીઓને કોરોનાના દર્દીઓની સારવાર માટે જરૂરી ટ્રેનિંગ પણ અપાઈ છે.
અત્યારની પરિસ્થિતિને જોતા બધા N95 માસ્ક પહેરે તે ખૂબ જરૂરી રહેલ છે. સ્ટાઈલિશ માસ્ક, કાપડના માસ્ક, રૂમાલ શક્ય હોય તો પહેરવાનુંટાળવું જરૂરી છે. સરકાર સારવાર માટે સુવિધાઓ ઉભી કરી શકશે પરંતુ સાવચેતી આપણે પોતે જ રાખવી પડશે.