ફ્લાવર શોને રદ કરવામાં આવ્યો પરંતુ તે ફૂલોનું શું થશે? આ ફૂલોને લઈને AMC દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય
રાજ્યમાં સતત કોરોનાનો કહેર વધતા સરકાર દ્વારા કેટલાક સખ્ત પગલાં ભરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા કોરોનાનો કહેર જોતા વાઈબ્રન્ટ સમિટ, ફ્લાવર શો અને પતંગોત્સવ રદ કરવામાં આવ્યો છે. તેની સાથે અમદાવાદ ના રિવરફ્રન્ટ પર યોજાવનાર ફ્લાવર શો રદ કરવાની જાહેરાત પહેલા જ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જયારે હવે તેને રદ કર્યા બાદ હવે દરેકના મનમાં એક જ સવાલ હતો કે, આ ફુલોનું હવે શું થશે. પરંતુ હવે સવાલનો જવાબ સામે આવ્યો ગયો છે. AMC દ્વારા આ ફૂલોને ફેંકવાને બદલે તેને ઉપયોગમાં લેવાનો નિર્ણય લીધો છે. આ ફૂલો હવે અમદાવાદના વિવિધ સર્કલની શોભા વધારશે.
અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શોને રદ કરી દેવામાં આવ્યો છે પરંતુ તે પહેલા જ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. તેના માટે AMC ની નર્સરીમાં જ છોડ વાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. તેના માટે વિવિધ ડિઝાઈનના ફ્લાવર્સ પણ રોપવામાં આવ્યા હતા. તેમ છતાં કોરોનાનો કહેર વધતા ફ્લાવર શોને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે હવે ફ્લાવર શોમાં ઉપયોગમાં લેનાર ફૂલો અમદાવાદ શહેરના મહત્વના સર્કલ્સની શોભા વધારશે.
ફ્લાવર શોના આયોજન માટે તૈયાર કરવામાં આવેલા 7 લાખ ફૂલોના છોડને શહેરના સર્કલ્સને સજાવવામાં લેવામાં આવશે. તેના માટે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ફ્લાવર શો રદ થતા આ છોડ શહેરના મોટા સર્કલ્સ ઉપર મૂકવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અત્યારે RTO સર્કલ્સ, લો ગાર્ડન જેવા સ્થળો પર છોડ મુકવામાં પણ આવ્યા છે.
નોંધનીય છે કે, ફ્લાવર શો ના છોડની વાત કરવામાં આવે તો AMC દ્વારા પોતાની જ નર્સરીમાં વાવવામાં આવે છે. જ્યારે 8 જાન્યુઆરીના રોજ રિવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાવાનો હતો. પરંતુ કોરોનાના કારણે તેને રદ કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં મોટા ભાગની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી. એવામાં ફ્લાવર શો ના ફૂલછોડને અન્ય જગ્યાએ મૂકવામાં આવશે. AMC ના આ નિર્ણય બાદ અમદાવાદ અનેક સર્કલ પર વિવિધ રંગોના ફૂલો શોભા વધારતા જોવા મળશે.