આખરે અમરેલીમાં કોરોના ની એન્ટ્રી: સુરતથી અમરેલી ગયેલા વૃદ્ધા કોરોના પોઝિટિવ
ગુજરાતમાં કોરોના ના કેસ વધી રહયા છે ત્યારે સૌરાષ્ટ્ર થી મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રીન ઝોન અમરેલીમાં પણ હવે કોરોના ની એન્ટ્રી થઇ ગઈ છે.ગુજરાતમાં એક અમરેલીમાં જ કોરોના નો કેસ નોંધાયો નહોતો જેથી અમરેલી ગ્રીન ઝોન હતું.પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓ ખાસ કરીને સુરતથી હજારો લોકો અમરેલી આવ્યા હોવાથી હવે પહેલો કેસ નોંધાયો છે.
સુરતથી અમરેલી આવેલા 67 વર્ષીય વૃદ્ધાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેઓને અમરેલીના ખેડૂત તાલીમ કેન્દ્ર માં રખાયા હતા અને તપાસ કરવામાં આવી હતી.રિપોર્ટ પોઝિટિવ આવતા કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે.આ સાથે જ વૃદ્ધાની તપાસ કરનાર ડોક્ટરને પણ ક્વોરન્ટીન કરાયા છે. અમરેલીમાં તંત્ર દ્વારા પૂરતું ધ્યાન રખાયું હતું પણ બહારથી આવતા લોકોને કારણે હવે કોરોના ફેલાય તેવી શક્યતા વધી ગઈ છે.સુરતથી અનેક બસ સૌરાષ્ટ્ર અને ખાસ અમરેલી જવા રવાના થઇ છે તેમને ક્વોરન્ટીન કરાય તેવી શક્યતા દેખાઈ રહી છે.