સુરતમાં મેટાસ સ્કૂલની મનમાની! બાકી ફીને લઇ બાળકોને શાળામાંથી કાઢી મુકાયા

સુરતમાં મેટાસ સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મેટાસ સ્કૂલમાં આઠ જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા છે. તેનું કારણ જાણીને તમે પણ ચકિત થઈ જશો. આ વિદ્યાર્થીઓ સ્કૂલની ફી ભરવા અસમર્થ રહેતા તેમને એલસી આપી દેવામાં આવ્યું હતું. આ મામલામાં શાળાની બહાર વાલીઓ દ્વારા સ્કૂલ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન વિદ્યાર્થીનીઓ રડી પણ રહી હતી. ABVP દ્વારા પણ આ બાબતમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
કાર્યકર્તાઓ દ્વારા આ બાબતમાં જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી. એલ.સી પરત લેવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી આપવામાં આવી છે.સુરતની અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી મેટાસ સેવન્થ ડે સ્કૂલના સંચાલકો દ્વારા 8 વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવ્યું હતું. ફી ન ભરવામાં અસમર્શાથ રહેતા શાળા દ્વારા વિદ્યાર્થીઓને કાઢી મુકવામાં આવ્યા હતા. તેના લીધે વાલીઓ પોતાના વિદ્યાર્થીઓ સાથે શાળાની બહાર ધરણા કર્યા હતા. જ્યારે બીજી તરફ ABVP ના કાર્યકર્તાઓ દ્વારા ક્ષણાધિકારીને આવેદન આપી વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ અપાવવાની માંગણી કરવામાં આવી હતી.
- 6 એપ્રિલથી સૂર્ય-ગુરુ કેન્દ્ર દ્રષ્ટિ યોગ આ 3 રાશિઓને ધનવાન બનાવશે
- PM મોદીએ કહ્યું: કોરોનાની જેમ કસોટીનો સમય, એકથઇને લાંબો સમય લડવાની તૈયારી કરો
- NHIDCL માં વિવિધ પદો પર ભરતી જાહેર, ₹2.75 લાખ સુધી મળશે પગાર
- 26 માર્ચે શુક્ર ગ્રહ દુર્લભ યોગ બનાવશે, જેનાથી આ 5 રાશિઓને ખૂબ ફાયદો થશે

