IndiaNews

Babul Nath Temple: આ 350 વર્ષ જૂના મંદિરના શિવલિંગ પર પડી તિરાડો, કારણ જાણીને લોકો ચોંકી ગયા

Babul Nath Temple: મુંબઈનું બાબુલનાથ મંદિર સ્થાનિક ભક્તો માટે આસ્થાનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર છે. લોકોમાં આ મંદિર પ્રત્યે ખૂબ જ આદર છે. દેશભરમાંથી ભક્તો અહીં માથું નમાવવા અને ભોલે બાબાના આશીર્વાદ લેવા આવે છે. અહીં સદીઓ પહેલા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ થોડા દિવસોથી આ મંદિરના શિવલિંગ પર તિરાડો જોવા મળી રહી છે. તેને જોતા મંદિર પ્રશાસન દ્વારા શિવલિંગને નુકસાનથી બચાવવા માટે IIT-Bombayના નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર અહીંના શિવલિંગ પર છેલ્લા કેટલાક સમયથી સતત તિરાડો જોવા મળી રહી છે. આ શિવલિંગ લગભગ 350 વર્ષ જૂનું છે. શિવલિંગ પર પડેલી તિરાડોને ધ્યાનમાં રાખીને મંદિર સત્તાવાળાઓએ દૂધ, રાખ, ગુલાલ અને અન્ય પ્રકારના પ્રસાદ ચઢાવવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. શિવલિંગ પર અભિષેક માટે માત્ર જળ ચઢાવવાની છૂટ છે. શિવલિંગ પર કેવી રીતે તિરાડો પડી રહી છે તે જાણવા માટે મંદિર પ્રશાસને IIT-બોમ્બેનો સંપર્ક કર્યો.

આ પછી IIT, બોમ્બેના નિષ્ણાતોએ સ્થળનું નિરીક્ષણ કર્યું અને પ્રારંભિક અહેવાલ તૈયાર કર્યો. આ રિપોર્ટ સતત ભેળસેળયુક્ત પદાર્થોની અસરથી શિવલિંગને થતા નુકસાન તરફ ઈશારો કરી રહ્યો છે. આગામી થોડા દિવસોમાં સંપૂર્ણ રિપોર્ટ આવવાની ધારણા છે.

આઈઆઈટી, બોમ્બેનો રિપોર્ટ બહાર આવ્યા પછી મંદિર પ્રશાસનની સાથે નિષ્ણાતોએ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું અને અહીં આસપાસના સામાન વેચનારાઓની પૂછપરછ કરી. આ દરમિયાન જાણવા મળ્યું કે મંદિરની આસપાસ આડેધડ રીતે ભેળસેળયુક્ત દૂધ અને સામાન વેચવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર આ ભેળસેળયુક્ત દૂધથી શિવલિંગ પર સતત અભિષેક કરવામાં આવી રહ્યો હતો. પરિણામે, મંદિર પ્રશાસને દૂધ અને અન્ય વસ્તુઓના અભિષેક પર પ્રતિબંધ મૂક્યો છે. ભક્તોને શિવલિંગ પર પાણીથી જ અભિષેક કરવાની છૂટ છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે