India

કુતરા મારવા માટે નાંખેલ જેરી બિસ્કિટ ખાઈ ગઈ બાળકી, ઇમરજન્સીમાં દવાખાને લઈ જવામાં આવી પણ…

બે વર્ષની માસૂમ બાળકી સાથે બહુ દુખદ ઘટના બની ગઈ. તે રમતા રમતા પોતાના ઘરની બહાર નીકળી જાય છે. અહિયાં તેની નજર રસ્તા પર પડેલા બિસ્કિટ પર જાય છે. એવામાં માસૂમ બાળકી એ બિસ્કિટ ઉઠાવીને ખાઈ લે છે. જો કે બિસ્કિટ ખાવાના થોડી જ વારમાં બાળકીની તબિયત બગડવા લાગે છે. તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

બાળકીની બગડતી તબિયત જોઈ પરિવારજનો તેને ઉતાવળમાં હોસ્પિટલ લઈ ગયા. અહીં ડોક્ટરોએ તેને જે કહ્યું તે સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તબીબોએ જણાવ્યું કે યુવતીએ જે બિસ્કિટ ખાધા તેમાં ઝેર ભળેલું હતું. તબીબોએ બાળકીને બચાવવા ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ ઝેર તેના આખા શરીરમાં ફેલાઈ ગયું હતું. આવી સ્થિતિમાં માસૂમનું જોત જોતામાં જ મોત થયું હતું.

આ સમગ્ર ઘટના 3 ફેબ્રુઆરીની જણાવવામાં આવી રહી છે. છોકરીનું નામ હેઈડી વેલેરિયા હતું. તેણી બે વર્ષની હતી અને મેક્સીકન રાજ્ય જેલિસ્કોમાં ટોટોટલાનની નગરપાલિકામાં રહેતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝેરી બિસ્કિટ રસ્તા પર કૂતરાઓ માટે રાખવામાં આવ્યું હતું, પરંતુ છોકરીએ ભૂલથી તે ખાઈ લીધું.

મહાસચિવ અનુસાર સરકારી પુષ્ટિ કરવાની હજી બાકી છે હમણાં તો તથ્યો પરથી તપાસ કરવામાં આવી રહી છે, કૈરીલોએ એ પણ જણાવ્યું છે કે એક અન્ય 6 વર્ષના સ્થાનીય બાળકને પણ અજ્ઞાત પદાર્થના નશાને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જો કે હજી એ ક્લિયર નથી કે એ બાળકનો સંબંધ મૃતક બાળકી સાથે છે કે નહીં.

બીજી તરફ આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો જોવા મળ્યો હતો. કાર્યકર્તા અને પ્રભાવક આર્ટુરો ઇસ્લાસ એલેન્ડેએ કહ્યું: “વેલેરિયા હવે અમારી સાથે નથી. અમે બે વર્ષની છોકરી ગુમાવી. કેટલાક અનૈતિક લોકોએ ટોટોટલાન, જેલિસ્કોમાં ઝેરી કૂકીઝ ફેંકી હતી. આ લોકોને જેલમાં સડવું જોઈએ.”

બીજી તરફ, અધિકારીઓ તપાસ ચાલુ રહે ત્યાં સુધી પીડિત પરિવારને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. ટોટોટલાનના સ્થાનિક રહેવાસીઓ દાવો કરે છે કે પરિવારના કૂતરાને મારવા માટે કોઈએ ઝેરી બિસ્કિટ મૂક્યા હતા, જોકે છોકરીએ તે ખાધા હતા. તમારે પણ આ સમગ્ર મામલામાંથી શીખવું જોઈએ અને 24 કલાક તમારા બાળકો પર નજર રાખવી જોઈએ. તે શું ખાય છે અને ક્યાં રમી રહ્યો છે તેના પર ધ્યાન આપો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે