Gujarat

બનાસકાંઠામાં ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ચાર લોકોના કરુણ મોત

બનાસકાંઠામાં કાંકેરેજના થરા-રાણકપુર પાસે ટ્રેલર અને કારનો ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેમાં ત્રણ લોકોનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું અને એકનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલમાં મૃતકોના મૃતદેહને પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કાંકરેજના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કિયા કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર અને કાર વચ્ચે થયેલી જબરદસ્ત ટક્કરમાં કારમાં સવાર ચાર લોકોના કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર ચાર લોકો ઉણ ગામના હોવાની જાણકારી આમે આવી છે. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર રહેલી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

ઘટનાના લીધે પોલીસ સહિત 108ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. જ્યારે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં અકસ્માતનું કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે