Gujarat

બે યુવકો બાઈક લઈને ઘરે પરત આવી રહ્યા હતા પરંતુ રસ્તામાં થયું એવું કે…

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત ખેડા થી સામે આવ્યો છે.

ખેડા જિલ્લાના મહુધા પંથકમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે ભાઈઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. કઠલાલના બે પરપ્રાંતીય યુવાનો મોટરસાયકલ લઈને મહુધાના વડથલ ખાતે ધંધાની ઉઘરાણીએ જઈ રહ્યા હતા તે સમયે તેમનો અકસ્માત થયો હતો. અજાણ્યા વાહન દ્વારા મોટરસાયકલને ટક્કર મારવામાં આવતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ બનાવ સંદર્ભમાં મહુધા પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તામીલનાડુના કુલથ્થુરના બે યુવાનો વ્યવસાય ના અર્થે ખેડા જિલ્લાના કઠલાલ ખાતે રહી રહ્યા હતા. ગુનસેકરન પલનીવેલ અને અરૂણ કુમાર સંગલીમુથ્થુ નામના આ બે યુવાનો ગત રોજ મોટરસાયકલ નંબર (GJ 07 EH 3449) પર સવાર થઈને પોતાના ધંધા અર્થે મહુધાના વડથલ મૂકામે ઉઘરાણી માટે ગયેલા હતા. ઉઘરાણી બાદ પરત ફરતા સમયે વડથલ કેનાલ પાસે કોઈ અજાણ્યા વાહન દ્વારા તેમના મોટરસાયકલને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે આ બન્ને લોકો મોટરસાયકલ સાથે ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. તેના લીધે શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંને યુવાનોનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.

જ્યારે અકસ્માત કરનાર વાહન ચાલક અકસ્માત સર્જીને વાહન સાથે નાસી ગયો હતો. તેમ છતાં અકસ્માતમાં બાઈકને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માત સંદર્ભમાં મૃત્યુ પામનારના મિત્ર શૈલેષભાઈ મનુભાઈ પરમાર દ્વારા મહુધા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તેમની ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે