અમેરિકા-કેનેડા બોર્ડર પર થોડા દિવસ પહેલા મૂળ મહેસાણાના પટેલ પરિવારના 2 સંતાન સહિત પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા,મળતી માહિતી અનુસાર માઇનસ ૩૫ ડિગ્રીમાં ઠંડીના કારણે મોત થયા હોવાનું કહેવામા આવી રહ્યું છે.આ વાતની ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકા-કેનેડાની સરહદ પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી છે.
સાથે કેનેડા-યુએસમાં અમારા રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલા લેવા માટે કહેવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ જણાવી તો પરિવાર મહેસાણા છે એવી ખબર પડતા લોકોએ અહી પરિવારના સભ્ય સાથે વાત કરતા જાણવા મળ્યું કેપરિવાર થોડા દિવસથી ગુમ થયો છે,પુત્ર ૧૦ દિવસ પહેલા કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો.
જેઓ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નવા ડિંગુચા ગામના વતની છે એવી વાત સામે આવતા પરિવારમાં પૂછપરછ કરવામાં આવી હતી જેમાં જગદીશભાઈ બળદેવભાઈ પટેલ,તેમના પત્ની ગાયત્રીબેન, સાથે ૧૨ વર્ષની પુત્રી ગોપી અને ૩ વર્ષનો નાનો દીકરો ધાર્મિક આ ચારેય થોડા દિવસ પહેલા વિદેશ જવા માટે રવાના થયા હતા.
સમાચાર અનુસાર અમેરિકા-કેનેડા બોર્ડર પર ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ૧૧ લોકોના નામ સામે આવ્યા છે,જેમાંથી ૪ લોકોના મૃત્યુ થયા છે,જ્યારે બાકીના ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ ઘટનામાં ગેરકાયદે અમેરિકા મોકલવામાં કલોલના એક એજન્ટ અને પેટા-એજન્ટનો હાથ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.