અમદાવાદમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ…
ગુજરાતમાં કોરોનાને લઈને આજે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડો થતા 12911 કેસ સામે આવ્યા છે. તે એક સારી બાબતમાં છે. કેમ કે સતત કોરોનાના કેસમાં રાજ્યમાં ઘટાઓ જોવા મળી રહ્યો છે. એવામાં અમદાવાદથી પણ કોરોનાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસમ તોતિંગ ઘટાડો થયો છે.
અમદાવાદમાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં શહેરમાં 4046 અને જિલ્લામાં 78 મળીને 4124 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય અમદાવાદ શહેરમાં 7 દર્દીઓના કોરોનાના કારણે મોત નીપજ્યા છે. તેની સાથે કોરોનાથી સાજા થવાની વાત કરવામાં આવે તો શહેર અને જિલ્લા બંનેને મળીને 8690 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે.
તેની સાથે અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલ કોરોનાના કેસનો આંકડો 3,52,873 પહોંચ્યો છે. જ્યારે કોરોનાથી સાજા થવાનો આંકડો 39,921 પહોંચ્યો છે. આ સિવાય આજે 7 ના મોત બાદ મૃત્યુઆંકનો આંકડો 3,493 પહોંચ્યો છે.
અમદાવાદમાં કોરોનાના કહેરની વચ્ચે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઘટાડો વધારો પણ જોવા મળી રહ્યો છે. તેમાં પણ આજે 36 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 10 ઝોનનો આજે ઉમેરો થયો છે. તેના લીધે માઈક્રો કન્ટેનમેન્ટનો આંકડો ઓછો થયો છે અને તે 114 પહોંચી ગયો છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11,974 કેસ સામે આવ્યા છે. જ્યારે રાહત પહોંચાડનાર સમાચાર પણ સામે આવ્યા છે. આજે કોરોનાની સારવાર દરમિયાન 21665 દર્દી સાજા થયા છે. જ્યારે ગુજરાતમાં આજે 33 દર્દીના મોત થયા છે.
ખુશીના સમાચાર: 1 ફેબ્રુઆરીથી ખૂલશે અંબાજી મંદિરના દ્વાર, જાણો ભકતો માટે શું રહેશે નવા નિયમો