નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.
આજે આપણે વાત કરીશું જેતપુર શહેરની, જ્યાં શહેરમાં નવજીવન આઇસ્ક્રીમ નામની આ દુકાન છે,જે છેલ્લા ઘણા વર્ષોથી દહીવડા માટે ખૂબ જ વખણાય છે.તેમના દહીવડા જેતપુરમાં એક ઓળખ બની ગયા છે.જો આપણે તેમની દુકાનના એડ્રેસની વાત કરીએ તો જેતપુરમાં ફૂલવાડી-બહાદુર રોડ, સ્ટેન્ડ ચોકની નજીક આ દુકાન આવેલ છે અને છતાં પણ સરનામું ન મળે તો ૯૮૨૫૬ ૯૦૦૫૬ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.
નવજીવન આઇસ્ક્રીમની આ દુકાન છેલ્લા ૫ દાયકાથી દહીવડા માટે ખૂબ જ ફેમસ છે.દુકાનના માલીકનું નામ હિતેશભાઇ છે.અહીની સ્પેશયાલિસ્ટ એ છે કે વડા ફ્રાય કરેલા નથી હોતા પરંતુ બાફેલા હોય છે,બિલકુલ ઓઇલ ફ્રી હોય છે.
જો તમે જેતપુર બાજુ જાઓ તો અહી નવજીવન આઇસ્ક્રીમમાં દહીવડા ખાવા ચોક્કસ જજો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.