BjpIndiaPolitics

ભાજપના મંત્રીએ કહ્યું કે, દેશમાં આટલા બધા લગ્ન થઈ રહ્યા છે… ક્યાં છે મંદી ?

દેશમાં મંદીનો માહોલ છે તેવું ખુદ ફાઇનાન્સ મિનિસ્ટર પણ કહી ચુક્યા છે છતાં કેન્દ્રીય મંત્રી સુરેશ અંગડીએ કહ્યું કે દેશમાં ટ્રેન અને એરપોર્ટ ભરેલા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં લોકોના લગ્ન થઈ રહ્યા છે એટલે અર્થવ્યસવ્થા સારું કામ કરી રહી છે.

આ પહેલા પણ ભાજપના મંત્રી રવિશંકર પ્રસાદે નિવેદન આપ્યું હતું કે ફિલ્મો કરોડોનો ની કમાણી કરી રહી છે તો દેશમાં મંદી ક્યાં છે? સુરેશ અંગડીએ કહ્યું કે અર્થવ્યવસ્થા દર ત્રણ વર્ષે ધીમી પડે છે. ભારતીય અર્થવ્યવસ્થા જલદી સારો વેગ પકડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો પળેપળના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

આ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક ટવીટમાં મંત્રીની ટિપ્પણી પર નિશાન સાધતા કહ્યું કે લાગે છે કે આવા વિચિત્ર નિવેદનો વાસ્તવિકતા અને પ્રવર્તમાન સંજોગોથી ધ્યાન હટાવવા માટે આયોજિત રીતે કરવામાં આવે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે