VadodaraGujarat

વડોદરા બોટ દુર્ઘટના મામલે શાળા સંચાલકોને આડે હાથ લેતા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરનું મોટું નિવેદન

હરણી બોટ દુર્ઘટનાને લઈને સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તેને લઈને સતત નવી-નવી જાણકારી સામે આવી રહી છે. એવામાં હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનું મોટુ નિવેદન આપવામાં આવ્યું છે. કુબેર ડીંડોર દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ઘટનામાં જો શાળા સંચોલકોની ભુલ હશે તો તેમને પણ છોડશે નહીં. આ સાથે જ સમગ્ર મામલામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

શિક્ષણમંત્રી કુબેર ડીંડોર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. જેની પણ ભુલ હશે તે કોઈને છોડવામાં આવશે નહીં. કેમકે કે આ એક માનવીય અપરાધ રહેલ છે. હરણી તળાવ દુર્ઘટના બાબતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

વડોદરા હરણી લેક ઝોન બોટ દુર્ઘટના બાબતમાં SIT ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલામાં SIT દ્વારા ગોપાલ શાહની છતીસગઢ ના રાયપુર થી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી ગોપાલ શાહ અને ફરાર આરોપી પરેશ શાહ બંને સાઢુભાઈ હોવાનું સામે આવ્યું હતું. અત્યાર સુધી પોલીસ દ્વારા આ  કેસમાં 8 આરોપી ઓ ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ કેસમાં 11 આરોપી ફરાર રહેલા છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાં ૧૨ બાળકોઅને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા હતા. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલના બાળકો રહેલા હતા. જ્યારે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે  બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા