GujaratSouth GujaratSurat

ઘરમાં સુવા માટે થઈને પિતાએ દીકરીની કરી નાખી હત્યા

માતા પિતા તો જીવન આપનાર હોય છે. પરંતુ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પિતાએ જ પોતાની પુત્રીની સામાન્ય બાબતમાં હત્યા કરી નાખી છે. ગરમીના મારને પત્નીએ ઘરમાં બધાને ધાબા પર સુવા જવાનું કહેતા જ પતિ ભડકી ઉઠ્યો હતો. અને તેણે છરી લઈને પત્ની પર હુમલો કર્યો હતો. જેમાં દીકરીનું મોત નીપજ્યું હતું તેમજ પત્ની અને બાળકો ઇજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બિહારના એવા 42 વર્ષીય રામાનુજ શાહુ તેમના 40 વર્ષીય પત્ની રેખાદેવી, 19 વર્ષીય દીકરી ચંદાકુમારી અને ત્રણ દીકરા સૂરજ, ધીરજ અને વિશાલ સાથે સુરત જિલ્લામાં કડોદરા ખાતે આવેલ સત્યમનગર વિસ્તારમાં વસવાટ કરે છે. રાત્રીના 11 વાગ્યાની આસપાસ પત્ની રેખાદેવીએ પતિ રામનુજ મહાદેવ શાહુંને કહ્યું કે ગરમી વધારે છે ફો આપણે બધા ધાબા પર સુવા જઇશું. પત્નીએ ઉપર સુવા જવા માટે કહેતા જ પતિ રામાનુજે ગુસ્સે થઈને કહ્યું કે આપણે સુવા માટે ઉપર નથી જવું આપણે બધા અહીં નીચે ઘરમાં જ સુઇ જઇશુ. અને બાદમાં આ વાતને લઈને પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. અને પછી તેણે કહ્યું હતું કે, મારી સાથે વધારે ઝઘડો કરશો તો તમને સૌને જાનથી મારી નાખીશ. ત્યારબાદ રામાનુજ ઘરની બહાર ગયો અને ધરદાર છરો લઇને ઘરમાં આવ્યો હતો. અને બાદમાં તેણે પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો.

નોંધનીય છે કે, રામાનુજે ધારદાર છરીથી હુમલો કરતાં પત્ની રેખાદેવીની આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યાર પછી તે જીવ બચવા માટે થોડી દૂર જતી રહી હતી. ત્યારે ત્રણેય દીકરાઓ માતાને બચાવવા જતા પિતાએ તેમના પર પણ હુમલો કર્યો હતો., જેમાં ત્રણેય દીકરાઓને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. અને બાદમાં પિતાના હાથમાં તેની 19 વર્ષીય દિકરી ચંદાકુમારી આવી જતાં પિતાએ તેના પર ઉપરા ઉપરી મટન કાપવાના ધારદાર છરાથી 17 જેટલા ઘા મારીને તેની હત્યા કરી હતી.

તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને દીકરીની હત્યા કરનાર પિતા રામાનુજની ધરપકડ કરી લીધી હતી. તેમજ મૃતક દીકરી ચંદાની લાશને પોસ્ટમોર્ટમ માટ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.