AhmedabadGujarat

લગ્નના ચાર મહિના જ થયા હતા અને પતિથી કંટાળી મહિલાએ કરી આત્મહત્યા, જાણો એવું તો શું બન્યું?

અમદાવાદથી દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં પતિની નશાની આદતથી કંટાળીને એક મહિલાએ લગ્નના ચાર જ મહિનામાં આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. પતિની નશાની આદતના લીધે મહિલાએ આત્મહત્યા કરી જીવન ટુકાવી દીધું હતું. આ મામલામાં હાલમાં વટવા પોલીસ દ્વારા આત્મહત્યાના કેસમાં પતિ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, નશાની આદતની સાથે રઝીમ અન્સારી પત્નીને માર પણ મારતો હતો. તેના લીધે કંટાળીને મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે ચાર મહિના પહેલા બિહારની રિઝવાના ખાતુન દ્વારા રઝીમ અન્સારી સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. જ્યારે તે બિહારથી આઠ એપ્રિલના રોજ અમદાવાદ રહેવા માટે આવી હતી. એવામાં અનેક સપના લઈને આવેલ રિઝવાનાના પતિને ગાંજો પીવાની આદત હતી. જેના લીધે કંટાળીને રિઝવાનાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. આ મામલામાં રિઝવાના પરિવાર વારા વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપી રઝીમ અન્સારીની ધરપકડ કરી લેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ચાર મહિના પહેલા બન્નેના જ્ઞાતિના રીતરિવાજથી લગ્ન કરવામાં આવ્યા હતા. જ્યારે આઠ એપ્રિલના રોજ આ દંપતી અમદાવાદના વટવા વિસ્તારમાં રહેવા માટે આવ્યું હતું. જ્યારે રઝીમ અન્સારી ઇસનપુરમાં બાલાજી એસ્ટેટમાં કાપડની દુકાનમાં નોકરી કરતો પરંતુ તેને ગાંજો પીવાની આદત રહેલી હતી. 18 એપ્રિલની રાત્રી રઝીમ ગાંજો પીને ઘરે આવ્યો ત્યારે રિઝવાના દ્વારા નશો બંધ કરવાનું કહેવામાં આવતા રઝીમ દ્વારા મોબાઈલ તોડી નાખવામાં આવ્યો અને પત્ની રિઝવાનાને માર પણ મારવામાં આવ્યો હતો.  રઝીમને પરિવાર દ્વારા સમજાવવામાં આવ્યો હોવા છતાં તેને નશો કરવાનું ચાલુ રાખ્યું હતું. તેના લીધે કંટાળીને રિઝવાનાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

હાલમાં પત્ની દ્વારા આત્મહત્યા કરી લેતા વટવા પોલીસ દ્વારા આરોપી પતિ રઝીમ અન્સારી વિરૂદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.