Astrology

શુક્રવારના દિવસે કરો આ અચૂક ઉપાય, માતા લક્ષ્મી થશે પ્રસન્ન

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ અશુભ ફળ આપી રહ્યો છે તો તેને લીધે વ્યક્તિના જીવનમાં પૈસા, લગ્ન વગેરે સાથે જોડાયેલ મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે. અને જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો એવામાં વ્યક્તિનું જીવન રાજા જેવું હોય છે અને આવા લોકોના જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગી થતી નથી.

જો કોઈ વ્યક્તિ પૈસાની સમસ્યાનો સામનો કરી રહી છે, તો તેણે શુક્રવારે કેટલાક ઉપાય કરવા જોઈએ, તેનાથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત થશે, જેના કારણે તમને શુભ પરિણામ મળશે. શુક્ર ગ્રહને સુધારવા માટે દેવી લક્ષ્મીની કૃપા મેળવવી જરૂરી છે અને શુક્રવારનો દિવસ તેમને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ શુક્રવારના કેટલાક ઉપાયો વિશે.

જો તમે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો તેની માટે શુક્રવારના દિવસે સવારમાં ઉઠીને સ્નાન કાર્ય પતાવીને માતા લક્ષ્મીની આરાધના કરવી અને તેમની પૂજા દરમિયાન કમળના ફૂલ અર્પણ કરો. જો શક્ય હોય તો આ દિવસે સફેદ રંગના કપડાં જ પહેરો અને સાથે શ્રી સૂક્ત પાઠ જરૂર કરો.

જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે, લાખ પ્રયત્નો કરવા છતાં પણ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો નથી થઈ રહ્યો તો આવી સ્થિતિમાં શુક્રવારે કાળી કીડીઓમાં લોટ અને ખાંડ નાખીને ચઢાવો. આ ઉપાય કરવાથી જલ્દી જ તમને તમારી આર્થિક સ્થિતિમાં ફરક દેખાવા લાગશે.

તમે શુક્રવારના દિવસે કન્યાઓને ખીર અથવા દૂધથી બનાવેલ મીઠાઈ ખવડાવો. જો શક્ય હોય તો તમારે તમારા સામર્થ્ય અનુસાર તેમને ભેટ પણ આપવી જોઈએ. આનાથી માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર બની રહેશે. જો તમે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો છો તો તેમને નારિયળ જરૂર અર્પિત કરો અને પછી પૂજા પછી આ નારિયળને પૈસા મુકવાની જગ્યાએ મૂકી દો. આ સામાન્ય ઉપાય કરવાથી પૈસાની કમી દૂર થઇ જાય છે.

ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે કોઈ ને કોઈ બાબતને લઈને મતભેદ હોય છે. જો તમારા જીવનમાં પણ કોઈ પ્રકારની સમસ્યા ચાલી રહી છે તો તેના માટે શુક્રવારે બેડરૂમમાં લવ બર્ડ્સની તસવીર લગાવો. તમે થોડા દિવસોમાં પ્રેમ વધતો જોશો.જો તમે શુક્રવારના દિવસે કિન્નરને દાન આપો છો તો તમારા ઘરમાં બરકત વધે છે અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે શુક્રવારના દિવસે ક્યારેય પણ ખાંડનું દાન કરવું જોઈએ નહિ.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે