હવે ધ્યાન રાખજો: કોરોના કેસ ના આંકડા એ બીજી લહેરની યાદ અપાવી, આજે 24 કલાકમાં 1069 કેસ નોંધાયા
રાગુજરાતમાં કોરોના ના કેસ ફરીથી રોકેટ ગતિએ વધી રહ્યા છે. કોરોના સાથે નવું ઓમીક્રોન વેરીએન્ટ પણ ચિંતા વધારી રહ્યું છે. 2022ના પહેલા જ દિવસે રાજ્યમાં આજે કોરોના ના કેસો એ ૧૦૦૦ નો આંકડો વટાવી દીધો છે. છેલ્લા સાડા 6 મહિના બાદ પહેલીવાર 1000થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1069 નવા કેસ નોંધાયા છે.અમદાવાદમાં આજે સૌથી વધુ ૫૫૯ કેસ નોંધાયા છે.
આજે રાજ્યમાં કોરોના ના કારણે એક દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોન વેરીએન્ટ ના પણ 23 નવા કેસ નોંધાયા છે.સરકારી આંકડા જોઈએ તો રાજ્યમાં શરૂઆતથી લઈને અત્યારસુધી કુલ 8 લાખ 32 હજાર 801 કોરોના ના કેસ નોંધાયા છે. અને કુલ ૧૦૧૧૯ થયો છે. રાહતની વાત એ છે કે કુલ ૮ લાખથી વધુ કોરોના ના દર્દીઓ સાજા પણ થયા છે.
છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો અમદાવાદમાં કોરોના ના ૫૫૯ કેસ નોંધાયા છે. સુરતમાં ૧૫૬ કેસ,વડોદરામાં ૬૧ કેસ, રાજકોટમાં ૪૧ કેસ, આણંદમાં ૩૯ કેસ, કચ્છમાં ૨૨ કેસ, વલસાડમાં ૨૧ કેસ, રાજકોટ ગ્રામ્યમાં ૨૦ કેસ, ગાંઘીનગર કોર્પોરેશનમાં ૧૭ કેસ, ગાંધીનગરમાં ૯ કેસ, નવસારીમાં ૯ કેસ,મોરબીમાં ૮ કેસ નોંધાયા છે.સૌરાષ્ટ્રમાં પણ કોરોના ના કેસ વધી રહ્યા છે.